ઝારખંડનાં હજારીબાગમાં સ્થિત ચૌપારણમાં સોમવારનાં રોજ સવારે ભીષણ માર્ગ દુર્ઘટનામાં 11 લોકોનાં મોત થઇ ગયા છે. આ દુર્ઘટનામાં 25 લોકો ઘાયલ થયાં છે. આ દુર્ઘટના જીટી રોડ પર ચૌપારણનાં દનુઆ ઘાટીમાં સવારનાં અંદાજે 3:30 કલાકે ઘટી. જો કે આ દુર્ઘટના પાછળનું કારણ હજી સુધી જાણવા નથી મળ્યું પરંતુ કહેવામાં આવે છે કે તે બસની બ્રેક ફેઇલ થઇ ગઇ હતી.
હજારીબાગઃ ઝારખંડનાં હજારીબાગમાં સ્થિત ચૌપારણમાં સોમવારનાં રોજ સવારે ભીષણ માર્ગ દુર્ઘટનામાં 11 લોકોનાં મોત થઇ ગયા છે. આ દુર્ઘટનામાં 25 લોકો ઘાયલ થયાં છે. આ દુર્ઘટના જીટી રોડ પર ચૌપારણનાં દનુઆ ઘાટીમાં સવારનાં અંદાજે 3:30 કલાકે ઘટી છે. રિપોર્ટ્સ અનુસાર, યાત્રીઓથી ભરેલી આ બસ ખરાબ થઇને અચાનક માર્ગ પર ઉતરી આવતા તે ટ્રક સાથે ટકરાઇ. સરિયા લદે ટ્રકમાં તેજી ઝડપથી ટક્કર હોવાંને કારણ બસનાં ફુરચે ફુરચા ઉડી ગયા અને 11 યાત્રીઓને કાળ ભરખી ગયો.
મળતા રિપોર્ટ્સ અનુસાર, પ્રશાસનનાં લોકો અને ડૉક્ટરોની ટીમ આ દુર્ઘટનાની જગ્યા પર પહોંચી ગઇ છે અને તે ટીમ રાહતકાર્યમાં લાગી ગઇ છે. આ દુર્ઘટનામાં બસનાં ડ્રાઇવર મોહમ્મદ મુઝાહિદ અને ખલાસીનું પણ મોત થઇ ગયું. મળતી માહિતી અનુસાર, આ બસ ગુમલાથી મસૌઢી તરફ જઇ રહી હતી અને આ દુર્ઘટના સમયે તમામ યાત્રીઓ ભારે ઉંઘમાં હતાં. જો કે આ દુર્ઘટના પાછળનું કારણ હજી સુધી જાણવા નથી મળ્યું પરંતુ કહેવામાં આવે છે કે તે બસની બ્રેક ફેઇલ થઇ ગઇ હતી.
આ દુર્ઘટનામાં ઘાયલ લોકોને સારવાર માટે ચૌપારણ ખાતેનાં પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં ભરતી કરવામાં આવેલ છે. આ સિવાય મુખ્યાલયથી પહોંચેલ ડૉક્ટરોની ટીમ પણ ઘાયલોની દેખરેખ હેઠળ લાગી ગયેલ છે. આ દુર્ઘટનાની જગ્યા પર ખીણ પણ હતી પરંતુ નસીબજોગે તે બસ ખાઇમાં પડી નહીં, નહીં તો કદાચ મૃતકોની સંખ્યામાં વધારો થઇ શક્યો હોત. યાત્રીઓનાં કહેવા અનુસાર ડ્રાઇવર પણ ખૂબ જ તેજીથી બસ ચલાવી રહ્યો હતો અને ના કહેવા પર પણ તે માન્યો નહીં. અંતે બસ પરથી કાબુ ગુમાવતા અથવા તો બ્રેક ફેઇલ થવાને કારણે આ દુર્ઘટના ઘટી.