ઉત્તર પ્રદેશનમાં બુંદેલખંડની ધરતી ઝાંસીમાંથી રાજ્ય માટે જ નહીં પણ સમગ્ર દેશ માટે મેસેજ ગયો, જ્યારે યોગી આદિત્યનાથી અપીલ પર રામ જાનકી મંદિરના પૂજારી અને જામા મસ્જિદના ઈમામે રાજીખુશીથી લાઉડસ્પિકર હટાવી દીધા હતા.
ઝાંસીની ધરતમાંથી લોકોને મેસેજ આવ્યો
હિન્દુ મુસ્લિમોએ ભાઈચારાની મિસાલ રજૂ કરી
મંદિર અને મસ્જિદમાંથી રાજીખુશીથી લાઉડસ્પિકર હટાવ્યા
ઉત્તર પ્રદેશનમાં બુંદેલખંડની ધરતી ઝાંસીમાંથી રાજ્ય માટે જ નહીં પણ સમગ્ર દેશ માટે મેસેજ ગયો, જ્યારે યોગી આદિત્યનાથી અપીલ પર રામ જાનકી મંદિરના પૂજારી અને જામા મસ્જિદના ઈમામે રાજીખુશીથી લાઉડસ્પિકર હટાવી દીધા હતા. મંદિરના પૂજારી શાંતિ મોહન દાસ અને મસ્જિદના ઈમામ હાફિઝ મોહમ્મદ તાજ આલમે જણાવ્યું હતું કે, તેમણે સહિયારા પ્રયાસથી દાયકાઓથી લાગેલા લાઉડસ્પિકરને હટાવાનો નિર્ણય કર્યો છે. જેથી સમાજમાં સાંપ્રદાયિક સૌહાર્દ બની રહે અને તેના માટે એક ઠોસ મેસેજ સમાજમાં પ્રસરે.
મંદિર અને મસ્જિદમાંથી લાઉડસ્પિકર ઉતારી લીધા
ઝાંસીના બડાગામ વિસ્તારના ગાંધી ચોક પર રામ જાનકી મંદિર અને જામા મસ્જિદ આજૂબાજૂમાં જ આવેલી છે. મંદિરમાં સવારના સમયે લાઉડસ્પિકરમાં આરતી થતી હતી. જ્યારે મસ્જિદમાં પાંચ સમયની અઝાન પરંપરા દાયકાઓથી ચાલી આવતી હતી. શાંતિ મોહન દાસે કહ્યું કે, પ્રેમ અને ભાઈચારાનો મેસેજ આપવામાં માટે આ નિર્ણય લેવામા આવ્યો હતો. તેમણે કહ્યું કે, લાઉડસ્પિકર વગર પણ સવારની આરતી થઈ રહી છે. સાથે જ ભજન કાર્યક્રમ પણ શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યા છે.
UP| Ram Janki temple and Sunni Jama Masjid are both in Gandhi chowk locality, just a few metres away from each other, decided to bring down the loudspeakers
A meeting of Peace Committee was held. They both have decided to remove loudspeakers: SDM Sanya Chhabra (25.04) pic.twitter.com/6jQZCjqv4e
મસ્જિદના ઈમામ હાફિઝ તાજ આલમે કહ્યું કે, બંને ધાર્મિક સ્થળ પરથી લાઉડસ્પિકર ઉતારવા એ સમયની માગ છે. અમે સહિયારા ભાઈચારાથી સાથે રહીએ છીએ. ત્યારે આવા સમયે લાઉડસ્પિકર અડચણ ન બનવી જોઈએ. હું દુઆ કરુ છું કે, આ સૌહાર્દ પૂર્ણ દેશમાં બની રહે અને લોકો શાંતિથી રહે. અમારી પાસે નાના સ્પિકર્સ છે, જેનાથી મસ્જિદની બહાર અવાજ નહીં જાય. ઝાંસીના બે ધાર્મિક સ્થળમાંથી એવા સમયે મેસેજ આવ્યો છે કે, જ્યારે દેશમાં મંદિર અને મસ્જિદમાં લાઉડસ્પિકરને લઈને ધમાસાણ મચેલું છે.
શાંતિ સમિતિની બેઠકમાં લેવાયો આ નિર્ણય
એસડીએમ સાન્યા છાબડાએ જણાવ્યું હતું કે, રામ જાનકી મંદિર અને સુન્ની જામા મસ્જિદ બંને શહેરના ગાંધી ચોક વિસ્તારમાં આવેલા છે. બંને એક બીજાથી જૂજ અંતરે આવેલા છે. ત્યારે આવા સમયે બંને જગ્યા પર લાઉડસ્પિકર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય શાંતિ સમિતિની બેઠકમાં લેવાયો છે.