અમદાવાદના નિકોલમાં ખોડિયાર મંદીર નજીક 3 કિલો સોનાની લૂંટ થઈ હતી. દાગીનાના વેપારી પાસેથી અજાણ્યા શખ્સો લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. આથી પોલીસે નાકાબંધી કરીને ફરાર થયેલા શખ્સોની તપાસ હાથ ધરી છે.
3 કિલો સોનાની લૂંટ ચલાવીને શખ્સો ફરાર
દાગીનાના વેપારી પાસેથી શખ્સોએ ચલાવી લૂંટ
લૂંટ ચલાવીને ફરાર થયેલા શખ્સોની શોધખોળ
ગુરૂવાર સાંજે અમદાવાદના નિકોલ વિસ્તારમાં લૂંટની ઘટના સામે આવી છે. જેમાં નિકોલના ખોડીયાર મંદિર નજીક 3 કિલો સોનાની લૂંટ થઇ હતી. આંખના પલકારે બે બાઇક સવાર લૂંટારુંઓએ જ્વેલર્સ પાસેથી સવા કરોડના 2 કિલો સોનાની લૂંટ કરી હતી. આ મામલે નિકોલ પોલીસ, DCP ઝોન-5 અને ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સમગ્ર ઘટના મામલે તપાસ હાથ ધરી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે શખ્સોની ઓળખ અને શોધખોળ શરૂ કરી દીધી છે.
મહત્વનું છે કે, વૈભવ લક્ષ્મી ગોલ્ડ પેલેસ નામના જ્વેલર્સની બહાર ગાડીમાં સોનું ભરેલી બેગ મુકવા જતાં હતા તે સમયે બાઇક પર આવેલા લૂંટારૂંઓએ ફિલ્મી સ્ટાઇલે લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. આ વેપારીઓ સોનું બતાવવા માટે આવ્યા હતા.