જેતપુર ના NH 27 ઉપર ભાદર ના પુલ છેલ્લા 3 વર્ષ થી બંધ છે આમ છતાં તંત્ર ના પેટ નું પાણી પણ હાલતું નથી, જયારે માત્ર ટૂંકા ગાળા માં જ તૂટી ગયેલ પુલ માં ભ્રષ્ટાચાર થયો છે તે ચોક્કસ છે, ત્યારે સરકાર આ ભ્રસ્ટાચારી ને પકડી ને સજા કરે તે જરૂરી છે. આજે સવારે 7 વાગ્યા થી 11 વાગ્યા સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો, અને છેલ્લા 3 વર્ષ થી આ ટ્રાફિક સમસ્યા ચાલી રહી છે, અને તંત્ર બેદરકાર છે લોકો પરેશાન છે,
જેતપુર નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામ
સાવરે 7 વાગ્યથી 11 વાગ્યા સુધી ટ્રાફિક જામ
2 થી 3 કિમિ લાંબી વાહનોની લાઈનો
જેતપુરથી પોરબંદર જતો નેશનલ હાઇવે 27 ઉપર નવાગઢ પાસેના ભાદર નદી ના પુલ ઉપર છેલ્લા 3 વર્ષ થી ટ્રાફિકની સમસ્યા છે, નવાગઢ પાસે ભાદર નદી ઉપર 4થી 5 વર્ષ પહેલા એક પુલ બનાવવામાં આવેલ હતો, પ્રથમથી જ નબળો બનેલ હોય ટૂંકા ગાળાના સમય માં જ પુલ નો એક તરફ નો એક ભાગ તૂટી જવા પામેલ હતો, જેના કારણે પુલની એક તરફની લેન બંધ કરવામાં આવી છે,
રોડની એક જ લેન ચાલુ
રોડની એક જ લેન ચાલુ હોય અહીં વારંવાર ટ્રાંફિક જામ થઇ જાય છે. આજે સવારથી 7થી 11 વાગ્યા સુધી અહીં ટ્રાફિક જામ સર્જાયો હતો, અને 2થી 3 કિલોમીટર લાંબી લાઈન થઇ હતી. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
નઘરોળ તંત્ર વારંવાર રજૂઆત છતા ઘોરતું પકડાયું
તંત્રને અવારનવાર રજૂઆતો પણ કરવામાં આવી છે, સાથે સાથે ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર જયેશભાઇ રાદડિયા દ્વારા કેન્દ્ર સરકાર અને નેશનલ હાઇવે ઓથોરિટીને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે છતાં પણ છેલ્લા 3 વર્ષથી આ પુલ જેમ નો તેમ બંધ હાલતમાં પડેલ છે.
પુલની હાલત બિસ્માર છે
પુલ ની હાલત જોતા હજુ પણ પુલ ઉપર સિમેન્ટ કોન્ક્રીટના પોપડા પડેલા દેખાય છે અને પુલ ઉપર હાલ પણ લોખંડના સળિયા જોવા મળે છે, પુલનો એક ભાગ ઉપર ઠેક ઠેકાણે પોપડા પડી ને ખાડા પડેલ છે અને પુલ ઉપર જ લોંખડના સળિયા બહાર આવીને ભ્રસ્ટાચારની ચાડી ખાઈ રહેલ છે. જે જોતા પુલ ની બનાવટ માં કેવી ગોલમાલ થયેલ હોય તે સ્પષ્ટ જોવા મળે છે.
પુલ બનવામાં જ થયો ભ્રષ્ટાચાર
હજુ તો થોડા વર્ષો પહેલા જ આ પુલ બનેલ છે.અને પુલ ની બનાવટ માં ખામી હોય અને પ્રથમ થી જ નબળો બન્યો હોય અને ભ્રષ્ટાચાર થયો હોવા ની શંકા છે. આ પુલ તૂટતાં તંત્ર દ્વારા તે રીપેરીંગ પણ કરવા માં આવેલ હતો પરંતુ આ પુલ ને ફિટનેશ સર્ટી મળેલ નથી તેને લઈ ને હજુ પણ આ પુલ ઉપર થી વાહન ચાલકો ને વાહન ચાલવવા ની મજૂરી મળી નથી. જેને લઈને હજુ પણ આ પુલ ની એક જ લેન ઉપર થી વાહનો ચાલી રહેલ છે. પુલ ની એક જ લેન ચાલુ હોય પુલ ઉપર અવારનવાર અકસ્માતો સર્જાય છે. અનેક વખત અહીં એક્સીડંટ ને લઈ ને વાહન ચાલકો ના મોત પણ થયેલ છે.