જેતપુરના પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે, ભાદર નદીને પ્રદુષિત કર્યા બાદ છાપરવાડી નદી બની પ્રદૂષણ બની છે. જેને લઈને તાલુકાના ખેડૂતો રોષે ભરાયા છે. પ્રદૂષણ માફિયા વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતાં. અને પ્રદુષિત પાણી બંધ કરવાની માંગ કરી હતી. તેમજ આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે નહિં તો ઉગ્ર આંદોલન ની ચીમકી આપી હતી.
જેતપુરના પ્રદુષણ માફિયા બન્યા બેફામ છે
છાપરવાડી નદી ઉપર આવેલ ચેક ડેમ પણ થયા છે પ્રદુષિત
પ્રદુષિત પાણીથી જમીનો પણ બંજર બને તેવી શક્યતા
જેતપુર ના પ્રદુષણ માફિયા ઓ બેફામ બન્યા છે, ભાદર નદી ને પ્રદુષિત કર્યા બાદ છાપરવાડી નદી બની પ્રદુષિત, જેને લઈને તાલુકા ના ખેડૂતો રોષે ભયરા ને પ્રદુષણ માફિયા વિરુદ્ધ સુત્રોચાર કર્યા અને પ્રદુષિત પાણી બંધ કરવા ની માગ કરી હતી ને ઉગ્ર આંદોલન ની ચીમકી આપી હતી,
જેતપુર ના સાડી કારખાના ઓ દ્વારા પ્રદુષિત પાણી ને લઈને વારંવાર વિવાદ માં આવ્યો છે, અને જેતપુર ના પ્રદુષણ માફિયા ઓ બેફામ બન્યા છે, આ પ્રદુષણ ના માફિયા ઓ એ જેતપુર ની ભાદર નદી ને કેમિકલ અને કલર થી પ્રદુષિત કરી નાખી છે અને હવે આ માફિયા ઓ નું પ્રદુષણ છાપરવાડી નદી માં પોહોંચ્યું છે અને છાપરવાડી નદી ને પણ પ્રદુષિત કરી રહ્યા છે , આ પ્રદુષણ થી છાપરવાડી નદી ઉપર આવેલ ચેક ડેમો લાલ થઇ ગયા છે એવું લાગે કે કોઈ લોહી નું તળાવ ભર્યું હોય, જેને લઈ ને જેતપુર તાલુકા ના પ્રેમગઢ, લુણાગરા, લુણાગરી ગામ ના ખેડૂતો આજે રોષે હતા, અને પ્રદુષણ માફિયા ઓ વિરુદ્ધ પ્રદુષિત થયેલ ચેક ડેમ અને પ્રદુષિત નદી ઉપર સુત્રોચાર કર્યા હતા, પ્રદુષણ માફિયા ઓ હાય હાય, અને લાલ પાણી અને પ્રદુષિત પાણી બંધ કરવા ની માંગણી કરી હતી,
ચેક ડેમો અને નદી ને પ્રદુષણ ના લાલ પાણી થી રક્ત રંજીત કરી ચૂકેલા આ માફિયા ઓ વિરુદ્ધ અવારનવાર આવેદન રજૂઆતો, અને આંદોલન થયા છે આમ છતાં તેવો દ્વારા કરવા માં આવતું પ્રદુષણ અટકતું નથી, આ પ્રદુષણ થી ખેડૂતો ની જમીન બંજર બની રહી છે, અને જમીન માં પાક ઉગતા નથી, સાથે આ પાણી જમીન માં ઉતરતા ભુગર્ભ જળ પણ પ્રદુષિત થી રહ્યા છે જે અહીં ના લોકો ના સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડશે જો આ પ્રદુષણ નહીં અટકે તો ઉગ્ર આંદોલન ની ચીમકી ખેડૂતો દ્વારા આપવા માં આવેલ છે
આવનાર ભવિષ્ય માટે પ્રદુષણ ને અટકાવું તે ખુબ જરૂરી છે, જો આજ પરિસ્થિતિ રહી તો, જેતપુર અને આસપાસ ના લોકો અને ખેતી ની જમીન બરબાદ થઇ જશે, સરકાર તાત્કાલિક પગલાં લઈ ને પ્રદુષણ અટકાવે તે જરૂરી છે
સળગતા સવાલ
ભાદર નદીને પ્રદુષિત કરનારાને કોણ છાવરે છે?
કેમ કોઇ કંપની સામે કાર્યવાહી નહીં?
GPCBને એકશન લેતા કોણ રોકે છે?
કેમિકલ અને કલર ભાદર નદીમાં છોડવાનો પરવાનો કોણે આપ્યો?