નહીં વાપરેલા ઇન્જેક્શન, ઇન્જેક્શનની સોય કચરામાંથી મળી
કોરોના મહામારીમાં જેતપુરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યાં છે. સરકારી હોસ્પિટલમાં વેસ્ટ દવાનો મોટો જથ્થો કચરામાંથી મળી આવ્યો છે. નહીં વાપરેલા ઇન્જેક્શન, ઇન્જેક્શનની સોય કચરામાંથી મળી આવી છે.
કચરામાં વણ વપરાયેલ દવાનો જથ્થો મળી આવ્યો છે. તો મીડિયાને જોઇને કર્મચારીઓ દવા વીંણવા લાગ્યા હતા. નુકસાનકારક દવા કચરામાં જોવા મળતા લોકોના આરોગ્ય પર ખતરો ઉભો થયો છે.
સળગતા સવાલ
મહામારીમાં આરોગ્ય સાથે ચેડાં કરવાનો હક કોણે આપ્યો?
સરકારી હોસ્પિટલમાં આવી જ લાલિયાવાડી ચાલે છે?
વણવપરાયેલી દવાઓ કચરામાં કઈ રીતે પહોંચી?
હોસ્પિટલ તંત્ર કેમ ઘોર નિંદ્રામાં છે?
આવશ્યક દવાઓ કચરામાં મળશે તો દર્દીનો ઈલાજ કઈ રીતે થશે?
આવી તો કેટલી સરકારી હોસ્પિટલ હશે જેમા આવી લાલિયાવાડી ચાલતી હશે?