જેતપુરમાં 18 વર્ષની યુવતીએ કૂવામાં મોતની છલાંગ લગાવી લેતા ચકચાર મચી ગઈ હતી. આવો જાણીએ શું છે મામલો?
જેતપુરના જૂનાગઢ રોડ પર યુવતીનો આપઘાત
આપઘાત પાછળનું કારણ અકબંધ
યુવતીના મૃતદેહને કઢાયો બહાર
જેતપુરના જૂનાગઢ રોડ પર યુવતીએ આપઘાત કરી લીધો છે. યુવતીએ કુવામાં જંપલાવી આપઘાત કર્યો છે. 18 વર્ષીય કાજલ કંબોયાએ કેમ મોત વહાલુ કર્યુ એ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. આખરે યુવતીના મૃતદેહને બહાર કઢાયો છે. જેતપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
વિધાનસભામાં ખુદ સરકારે રજૂ કર્યા આંકડા
ગુજરાતમાં 2 વર્ષમાં કુલ 15007 વ્યક્તિએ આપઘાત કર્યા છે. આ પૈકી 298 વિદ્યાર્થીએ આપઘાત કર્યા હોવાનો રાજ્યના ગૃહ વિભાગે કહ્યું હતું. જ્યારે 6850 વ્યક્તિએ આપઘાતનો પ્રયાસ અને 61 વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
શું કહે છે આકંડા?
ઓક્ટોબર 2018થી સપ્ટેમ્બર 2019 સુધીમાં 7505 આપઘાત થયા છે. આ જ સમયગાળામાં 3732 લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને 153 વિદ્યાર્થીઓએ આપઘાત વહોર્યો હતો જ્યારે 35 વિદ્યાર્થીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
ઓક્ટોબર 2019થી સપ્ટેમ્બર 2020 સુધીની પરિસ્થિતિ જોઈએ તો આ દરમિયાન પણ 7502 લોકોએ આપઘાત કર્યો હતો. 3118 લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો જ્યારે 145 વિદ્યાર્થીઓએ પોતાનો જીવ લઈ લીધો હતો અને 26 વિદ્યાર્થીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
મોટા શહેરોમાં આપઘાતના કિસ્સા વધુ
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં આપઘાતના બનાવો વધુ બનતા હોવાનું પણ બહાર આવ્યું છે. પંચમહાલ, નર્મદા, મહીસાગર અને દાહોદમાં તો આપઘાતનો એક પણ કેસ નોંધાવા પામ્યો ન હતો.