જેતપુરમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે. ખેતરમાં ઉભો મોલ સળગી જતા ખેડૂત બચાવવા દોડ્યો અને એ પોતે પણ જીવ ખોઈ બેઠો. આવો જાણીએ શું છે ઘટના?
જેતપુર દેવકી ગલોળના ખેડૂતનું સળગી જતાં મૃત્યુ
ઘઉંના પાકમાં આગ લાગતા બની દુર્ઘટના
પાક બચાવવા જતા ખેડૂતે જીવ ગુમાવ્યો
હાલ એક તરફ મહામારી ચાલી રહી છે. નોકરી ધંધા ઠપ્પ છે. ખેડૂતોનો પાક પણ તૈયાર થઈને પડ્યો છે પણ કોઈ લેવાલ નથી. ગયા વર્ષે પણ આ સમયે જ લોકડાઉન લાગી ગયુ હતુ ત્યારે ખેડૂતોનો તૈયાર મોલ પાણીમાં વેચાયો હતો ત્યારે હવે જેતપુરથી એક માઠા સમાચાર સામે આવ્યા છે.
ખેડૂતોનું ચાલી રહ્યુ છે આંદોલન
એકતરફ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યુ છે ત્યારે બીજી તરફ ખેડૂતોને મહેનતના પ્રમાણમાં પૈસા નથી મળી રહ્યા એવામાં પોતાની આખા વર્ષની મહેનત નજરોની સામે સળગી જતી જોઈને જગતના તાતે આગમાં ઝંપલાવી દીધુ હતુ પણ પાક તો ન બચ્યો અને ખેડૂત પણ ન બચ્યો.
દુર્ઘટનામાં ખેડૂતનો જીવ ગયો
જેતપુરના દેવકી ગલોળ ગામના ખેડૂતનું સળગી જવાથી મૃત્યુ થયું છે. ઘઉંના પાકમાં કોઇ કારણસર આગ લાગતા દુર્ઘટના બની હતી. ખેતરમાં સળગી રહેલા પાકને બચાવવા જતા ખેડૂતે પોતાનો જીવ ગુમાવ્યો છે. જોકે ખેતરમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.