કોરોના મહામારી વચ્ચે જેતપુર ના IMA ના ડોક્ટરો એ 3 દિવસ ની હડતાલ ઉપર ઉતરી ને હોસ્પિટલો બંધ કરી દીધી, તેવો ની હોસ્પિટલ માં સુરક્ષા ન હોય અને હુમલા થતા હોય જેને લઈ ને તેવો ની માંગણી ન સંતોષાતા તમામ હોસ્પિટલો બંધ કરી, પોતાનો સેવા નો ધર્મ ભૂલી ને કોરોના જેવી મહામારી ના સમય માં જેતપુર શહેર અને લોકો ને બાન માં લેવા નો પ્રયત્ન કરેલ હતો.
જેતપુરમાં મહામારી સમયે ડોક્ટરોની દાદાગીરી
ડૉક્ટરની માગ મુજબ પોલીસ કાર્યવાહી છતાં હડતાળ
મહામારી સમયે હોસ્પિટલો કરી બંધ
ડોક્ટરો સાથે મેડિકલ સ્ટોર માલિક પણ હડતાળમાં જોડાયા
જેતપુર માં 3 દિવસ પહેલા સંજીવની હોસ્પિટલ માં મનીષ સખરેલીયા નામના વ્યક્તિ એ હોબાળો મચાવ્યો હતો અને જેને લઈ ને ડોક્ટરો એ માગ કરી હતી કે તાત્કાલિક પગલાં લેવા માં આવે જેના પગલે જેતપુર પોલીસે તાત્કાલિક મનીષ સખરેલીયા ની ઘરપક્કડ કરી ને પગલાં લીધા હતા.
આમ છતાં જેતપુર ના IMA ના ડોક્ટરો એ આજે વધુ કડક પગલાં ની માગ સાથે જેતપુર ની તમામ હોસ્પિટલ નો ને 3 દિવસ ની હડતાલ અને બંધ કરવાની જાહેરાત સાથે ગત રાત્રી થી તમામ હોસ્પિટલો બંધ કરી દીધી હતી. IMA ના સેક્રેટરી દ્વારા મનીષ સખરેલીયા ઉપર કડક માં કડક પગલાં લેવા ની માગ કરી હતી અને પાસા થાય તેવી મેગ કરી હતી, હોસ્પિટલ ની હડતાલ ના પગલે જેતપુર ના મેડિકલ સ્ટોરો દ્વારા પણ બંધ પાળવા માં આવ્યો હતો.
એક તરફ કોરોના ની મહા મારી ચાલી રહી છે અને દેશ ભર માં એપેડેમિક એક્ટ લાગુ થઇ ગયો છે અને બીમાર લોકો સારવાર માટે વલખા મારતા હોય છે ત્યારે જેતપુર ના ડોકટરો દ્વારા હોસ્પિટલો બંધ કરી ને લોકો ની સારવાર કરવા ની જગ્યા એ લોકો ને હેરાન કરી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે, હોસ્પિટલ ના હડતાલ ના પગલે તાત્કાલિક સારવાર માટે આવનાર દર્દી ઓ હેરાન થઇ રહ્યા છે આમ છતાં ડોક્ટરો દ્વારા માનવતા ભૂલી ને હડતાલ ને વળગી રહ્યા છે જેને લઈ ને સ્થાનિક લોકો પણ ડોકટરો ના આ વલણ ને વખોડી કાઢ્યું છે.
સમાજ માં ડોક્ટર એટલે ભગવાન સમાન છે, આજ ડોકટરો જેતપુર માં લોકો ની સેવા કરવા ની જગ્યા એ હડતાલ કરી ને લોકો અને સમાજ ને બાન માં લેવા ની વૃત્તિ કેટલા અંશે વ્યાજબી ગણાય, શું આવા ડોકટરો સામે પણ કે ગુનેગાર ની જેમ પગલાં ભરાય તેવા પણ કાયદા હોય તે જરૂરી છે.