રાજકોટના જેતપુરમાં ફરી એકવાર પ્રદૂષણ ફેલાવવાનું કારસ્તાન સામે આવ્યું છે. લોકડાઉનમાં સ્વચ્છ થયેલી ભાદર નદી ફરી લાલ બની ગઈ છે. ભાદર નદી લાલ બનવાનું કારણ છે કેટલાક કંપનીના માલિકો દ્વારા ભાદર નદીમાં બેફામ રીતે પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે.
લોક ડાઉન દરમિયાન સ્વચ્છ થયેલ ભાદર નદી ફરી પ્રદુષીત
ભાદર નદીમાં બેફામ રીતે છોડાઇ રહ્યુ છે પ્રદુષિત પાણી
GPCBના અધિકારીઓના આંખ આડા કાન
લોકડાઉનમાં સ્વચ્છ થયેલી જેતપુરની ભાદર નદી ફરી લાલ બની ગઈ છે. લાલ બનવાનું કારણ છે કેટલાક કંપનીના માલિકો દ્વારા ભાદર નદીમાં બેફામ રીતે પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. વરસાદને કારણે નદીમાં આવેલા પુરમાં કેમિકલવાળું પાણી છોડી દેવાઈ રહ્યું છે.
નદીની અંદર ગટરની પાઈપ વડે આ પ્રદૂષિત પાણી ઠાલવવામાં આવી રહ્યું હતું. જો કે સૌથી ગંભીર બાબત એ છે કે GPCBના અધિકારી હજુ સુધી આંખ આડા કાન કરીને બેઠા છે.
સળગતા સવાલ
કુદરતી સંપત્તિને નુકસાન પહોંચડવાની તમને કોણે આપી છૂટ?
કોના ઈશારે ખુલ્લેઆમ નદીમાં કેમિકલ છોડાયું?
જળચર જીવોને નુકસાન થશે તો જવાબદાર કોણ?
શું નદીનું પાણી કોઈના શરીરમાં જતું નહીં હોય?
કુદરતે આપેલા અમૂલ્ય ખજાનાનો આવી રીતે ઉપયોગ કરવાનો?
શું GPCB અને કંપનીના માલિકોનું કોઈ સેટિંગ છે?
શું GPCB કંપની સામે કાર્યવાહી કરવાની હિંમત કરી શકશે?