ટેલિવિઝન જગતની સૌથી પોપ્યુલર કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ચાહક વર્ગ દરેક ઉંમરનો છે. છેલ્લા 12 વર્ષથી આ શો લોકોને ખડખડાટ હંસાવી રહ્યો છે. જોકે, શોમાં જ્યારે પણ અય્યર અને જેઠાલાલ સાથે હોય ત્યારે કંઈકને કંઈક વિવાદ શરૂ થાય જ છે. અય્યરને ઓફિસમાંથી પ્રમોશન મળવાથી તે ખૂબ જ ખુશ થઈ જાય છે ત્યારે અય્યરના પ્રમોશનની વાત જેઠાલાલને ખબર પડે છે તો તે તરત જ અય્યરને શુભેચ્છા પાઠવવા અય્યરને મળવા પહોંચી જાય છે.
તારક મહેતામાં અય્યરે જેઠાલાલ સાથે કર્યો આ વ્યવહાર
તારક મહેતામાં જેઠાલાલ અને અય્યર ફરી સામસામે
કોરોનાને લઈને શોમાં ફેલાઈ રહ્યાં છે જાગરૂકતા
જેઠાલાલ અય્યરને શુભેચ્છા પાઠવવા હાથ મિલાવવા માંગે છે તો અય્યર તેને હાથ મિલાવાનું સ્પષ્ટપણે ના કહી દે છે. હકીકતમાં અત્યારે સમગ્ર દુનિયામાં કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે. જેના કારણે અય્યર પણ જેઠા લાલને કોરોના વાયરસ વિશે જેઠાલાલને જણાવી હાથ મિલાવવાની ના પાડી દે છે. જે બાદ જેઠાલાલ અય્યરથી માફી માંગે છે.
તારક મહેતા એક એવી કોમેડી સીરિયલ છે જે હમેશાં હસી-મજાકમાં લોકોને તમામ સામાજિક મુદ્દાઓ વિશે જાગરૂકતા ફેલાવે છે. જેથી એક એપિસોડ દ્વારા શોના મેકર્સ કોરોના પ્રત્યે જાગરૂકતા ફેલાવાનો પ્રયાસ કરી રહ્યાં છે, જેથી લોકોને સમજાવી શકાય કે કઈ રીતે કોરોના વાયરસથી બચી શકાય છે.
જ્યારે ગોકુલધામ સોસાયટીમાં બબીતાના પતિ અય્યરને આ વાતની શંકા છે કે, જેઠાલાલ તેની પત્નીને પસંદ કરે છે. આ જ કારણથી અય્યર હમેશાં બબીતાની સામે જેઠાલાલની ઈન્સલ્ટ કરવાનો ચાન્સ છોડતો નથી.