તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ ભારતમાં ઘણો જ પોપ્યુર છે . આ એક એવો શૉ છે જેને જોતા જોતા બાળકો જવાન થઇ ગયા છે. શૉમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોષી લીડ રોલમાં જોવા મળે છે. જેઠાલાલ આવે એટલે સાથે બબિતાનું નામ પણ આપણા મગજમાં આવી જાય. તમને દરેકને ખ્યાલ હશે કે જેઠાલાલ અને ઐયર વચ્ચે ક્યારેય સમીકરણો સુધરેલા જોવા મળતા નથી. બંને કેરેક્ટર એકબીજાને મજા ચખાડવાનો મોકો ચૂકતા નથી.
ઐયરનું નામ છે તનુજ મહાશબ્દે
શૉમાં ઐયર છે મહત્વનું પાત્ર
શું તમને ખબર છે ઐયર શૉના રાઇટરની ટીમમાં હતા. ઐયરનું નામ તનુજ મહાશબ્દે છે અને તે સાઉથ ઇન્ડિયન નહી પરંતુ મહારાષ્ટ્રીયન છે. તનુજે શૉ રાઇટર તરીકે જોઇન કર્યો હતો. દિલીપ જોષીના કારણે તે એક્ટર બની શક્યા છે. એક વાર તનુજ અને મુનમુન દત્તાને જેઠાલાલે વાત કરતા જોયા હતા. બાદમાં શૉ મેકર્સને દિલિપ જોષીએ સજેસ્ટ કર્યુ હતું કે બબિતાના પતિના રોલમાં તનુજને લેવો જોઇએ. મેકર્સે જેઠાની વાત માની લીધી હતી અને તનુજને શૉમાં કાસ્ટ કર્યો હતો.
બાદમાં ઐયરનું પાત્ર એટલું ફૅમસ થઇ ગયું કે તેને હવે કોઇ પણ રિપ્લેસ કરી શકે તેમ નથી. જેઠા-ઐયરની તુતુ-મેમે શૉમાં એક અલગ જ તડકો લઇ આવે છે. ઐયર એક મહત્વનું પાત્ર બની ગયું છે. દિલીપ જોષીના સજેશનને કારણે તનુજ એ રાઇટરમાંથી એક્ટર બની શક્યા છે. આજે આખુ ભારત તનુજને ઐયરના નામે ઓળખે છે. તારક મહેતા.... હવે 3 હજાર એપિસોડ નજીક પહોંચી ગયું છે.
કોરોના વાઇરસને લીધે લૉકડાઉન લાગુ કરાયું છે. આ લૉકડાઉનને લઇને બધા જ શૂટિંગ રદ્દ થઇ ગયા છે. ગોકુલધામ અને ગોકુલધામવાસીઓ એકબીજા વગર સૂના પડી ગયા છે. જલ્દી જ શૉનું શૂટિંગ શરૂ થઇ શકે છે પરંતુ જો લૉકડાઉન લંબાશે તો હજી આપણે બધા જ તારક મહેતા........થી દૂર રહીશું.