ટીવી શો તારક મહેતા...લોકોનો ફેવરિટ શો છે. આ શોને જેટલો પસંદ કરવામાં આવે છે તેનાથી વધારે શોના પાત્રોને પસંદ કરે છે.
જેઠાલાલ પર કર્યુ વશીકરણ
ભિડેએ ઉઠાવ્યો જેઠાની હાલતનો ફાયદો
દુકાનનો સામાન વેચ્યો સસ્તા ભાવે
જેઠાલાલ વગર શોને કલ્પી જ ન શકાય, જેઠાલાલના ગડા પરિવાર વગર તારક મહેતા શો જાણે અપંગ માણસ જેવો લાગે. જેઠાલાલ પર ગમે ત્યારે કોઇ પણ મુસિબત આવી જાય અને તેને જોઇને વ્યૂઅર્સના ચહેરા પર સ્માઇલ આવી જાય.
જેઠાલાનું બદલાયુ રૂપ
જેઠાલાલ એક વશીકરણ જાળમાં ફસાઇ જાય છે અને એક બાબા પાસેથી તામ્રપત્ર લઇ આવે છે અને દયાને આ વિશે જાણ કરે છે. દયા આ તામ્રપત્રને જેઠાલાલના તકિયા નીચે મૂકી દે છે. બીજા દિવસે જેઠો ઉઠે છે ત્યારે એકદમ બદલાયેલો ઉઠે છે અને તેનું આ રૂપ જોઇને બધા લોકો હેરાન થઇ જાય છે.
દુકાનનું થયુ નુકસાન
જેઠાલાલ પોતાની દુકાન પર પહોંચે છે અને ત્યાં જઇને પોતાની દુકાનનું નુકસાન કરવા લાગે છે. સામાનને ઓછા ભાવમાં વેચવા લાગે છે અને બાદમાં નટુ કાકા ચંપક કાકાને ફોન કરીને બધી વાત કરે છે. જેઠાના વશીકરણનો ફાયદો બાળકો પણ ઉઠાવે છે. જેને જોઇને ભિડેને એક આઇડીયા આવે છે.
ભિડે ફાયદો ઉઠાવે છે
ભિડે જેઠાલાલની આ હાલતનો ફાયદો ઉઠાવે છે અને કહે છે કે તે સોસાયટીનું ઘર વેચીને બીજે ક્યાંક જતો રહે. જેઠો આ વાત માની જાય છે અને પોતાનું ઘર 25 લાખ રૂપિયામાં વેચવા માટે તૈયાર થઇ જાય છે. બાપૂજી દયા અને અન્ય લોકો ઘરે પહોંચી જાય છે અને ઘર વેચતા અટકાવે છે. તારક મહેતા પણ પહોંચે છે અને તામ્રપત્ર ફેંકી દે છે બાદમાં જેઠાલાલ નોર્મલ થઇ જાય છે.