ટીવીનો સૌથી લોકપ્રિય શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હંમેશા ટોપ 5માં પોતાની જગ્યા બનાવી રાખે છે પરંતુ આ વખતે તે ટોપ 5માંથી બહાર છે. આ કોમેડી શૉ છેલ્લા 13 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યું છે. ઘરમાં હાસ્ય રેલાવતા આ શૉની ટીઆરપી ઘટી તેના પર જેઠાલાલે પોતાની પ્રતિક્રિયા આપી છે.
તારક મહેતા ટોપ 5માંથી બહાર
દિલીપ જોશીએ આપી પ્રતિક્રિયા
અસિત મોદી પર પણ બન્યુ પ્રેશર
તારક મહેતાના સૌથી પોપ્યુલર પાત્ર જેઠાલાલે આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે જ્યારે તમે ક્વોન્ટીટી જુઓ છો ત્યારે ક્યાંક ને ક્યાંક ક્વોલિટી સફર થાય જ છે. રોજ એક એપિસોડ ડિલીવર કરવાના પ્રેશરમાં અસર પણ દેખાઇ રહ્યો છે.
સ્ટેન્ડઅપ કોમેડિયન સૌરભ પંતના સ્પેશિયલ પોડકાસ્ટમાં વાત કરતી તેમણે કહ્યું તે પહેલા અમે વિકલી કરતા હતાં ત્યારે રાઇટર્સ પાસે ખુબ સમય રહેતો હતો. ચાર એપિસોડ લખે અને બીજા ચાર એપિસોડ આગલા મહિને કરવાના રહેતા હતા. હવે ફેક્ટ્રી જેવું થઇ ગયુ છે. રાઇટર્સને દરરોજ નવો સબજેક્ટ જોઇએ અને રાઇટર્સ પણ માણસ છે.
દિલીપ જોશીએ આગળ કહ્યું કે હું તે વાતથી અગ્રી કરુ છુ કે જ્યારે તમે લાંબા સમય સુધી ડેઇલી શૉ કરો છો તો બધા જ એપિસોડ્સ એક જ સ્તરના ન હોઇ શકે , જ્યાં સુધી કોમેડીનો સંબંધ છે તો મને લાગે છે કે કેટલાક એપિસોડ તે સ્તરના નથી રહ્યાં.
થોડા દિવસ પહેલા શૉની સ્ટાર કાસ્ટ અને પ્રોડ્યુસર અસિત મોદી ડાન્સ રિયાલીટી શૉમાં આવ્યા હતા. ત્યારે ઋતુજાએ દયાના પાત્રમાં પફોર્મન્સ આપ્યું હતુ. ત્યારે અસિતે તેને દયાના રોલ માટે લેવાની ઇચ્છા જતાવી હતી.
મહત્વનું છે કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ 2008માં શરૂ થયો હતો અને હાલ સુધીમાં તેના 3000 કરતાં પણ વધારે એપિસોડ આવી ચૂક્યા છે. શૉમાં ઘણા બધા પાત્રો બદલાયા અને નવા આવ્યા. કેટલાક પાત્રોને દર્શકોએ સ્વિકાર્યા તો કેટલાકને હજુ સ્વિકારી શક્યા નથી.