તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ નામ આવતા જ નાનપણની યાદો તાજા થઇ જાય. મમ્મી એક હાથે જમાડતી હોય અને બીજા હાથે સબ ટીવી ઓન કરતી હોય કારણકે સમગ્ર પરિવારનો ફેવરિટ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો સમય થઇ ગયો હોય.
જેઠાલાલ છોડી દેશે શો?
દયાબેન વગર શોમાં મજા નથી
ઇન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો
છેલ્લા 12 વર્ષથી સતત લોકોનું મનોરંજન કરી રહેલો આ શો 3000 એપિસોડ પૂર્ણ કરી ચૂક્યો છે પરંતુ કહેવાય છે ને કે કોઇ પણ વસ્તુ કે વ્યક્તિ એક જેવી નથી હોતી બસ તે જ રીતે આ શોમાં પણ ઘણા ફેરફાર આવ્યા. 3 વર્ષથી દયાબેનનો રોલ કરી રહેલી દિશા વાકાણી શોમાંથી બહાર છે, જ્યારે સોઢી અને અંજલિનું પાત્ર ભજવનાર કલકારો પણ શોમાં નથી. ટપ્પુ અને સોનુ પણ બદલાઇ ગયા છે જેથી શોની ચમક જાણે ઓછી થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે.
જેઠાલાલ છોડશે શો?
તારક મહેતા...માં સૌથી ફેવરિટ જોડી હોય તો તે જેઠા-દયાની છે. જ્યારથી દયા શોમાંથી ગઇ છે શોનો ચાર્મ ઓછો થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે જેઠાલાલ પણ શો છોડવાની તૈયારીમાં હોય તેમ જણાઇ રહ્યું છે.
ઇન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો
એક યુટ્યુબ ચૅનલને આપેલ ઇન્ટરવ્યૂમાં જ્યારે દિલીપ જોશીને સવાલ કરવામાં આવ્યો કે શું તમે પણ શો છોડી દેશો, ત્યારે જેઠાલાલે ખુલાસો કર્યો કે તેમને રોજ અનેક જગ્યાએથી મોટી મોટી ઑફર આવે છે પરંતુ તે તારક મહેતા...માં જેઠાના પાત્રને એન્જોય કરી રહ્યાં છે. મેકર્સ સાથે કામ કરવાની તેમને મજા આવે છે. માટે તે આ શો છોડવાના મૂડમાં નથી.
તારક મહેતા...એ અપાવી ઓળખાણ
એક સમય એવો હતો જ્યારે દિલીપ પાસે ટેલેન્ટ હોવા છતાં તે પૈસા નહોતા કમાઇ શકતા કારણકે કામ જ નહોતું મળતું. ગુજરાતી અને હિન્દી બંને સિનેમામાં તેમણે કામ કર્યું અને તારક મહેતાએ તેમને ઓળખાણ અપાવી હતી.
આ ફિલ્મોમાં કર્યું કામ
ગુજરાતી સિનેમા સિવાય તેમણે હિન્દી સિનેમામાં હમ આપકે હૈ કોન, વ્હોટ્સ યોર રાશિ, જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.