તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક એવો શૉ છે કે જે નાના બાળકોથી લઇને વૃદ્ધ સુધી દરેક લોકોને પસંદ છે. જ્યારે પણ તારક મહેતા... શૉનું નામ આવે તો આપણા દરેકના ચહેરા પર સ્માઇલ આવે છે અને તેમાં પણ જો જેઠાલાલની વાત આવે તો પછી ફેફસા દુખી જાય એટલુ હસવું આવે પરંતુ જો જેઠાલાલ જ ડિપ્રેશનમાં હોય તો? તો કદાચ દેશના ઘણા લોકોના ચહેરાની સ્માઇલ પણ ગાયબ થઇ જાય.
જેઠાલાલ ડિપ્રેશનનો શિકાર
ડૉ.હાથી કરી રહ્યાં છે મદદ
બબિતાજીના ઓળખીતા છે ડૉક્ટર
વાત છે તારક મહતા..શૉના લૉકડાઉન બાદના પહેલા એપિસોડની, જેની શરૂઆત જેઠાલાલના સપનાથી થાય છે. તે સપનાઓને લઇને જેઠો ઘણો જ પરેશાન છે. જેથી તે ડૉ. હાથીનો સંપર્ક કરે છે.
જેઠાલાલ પોતાની તકલીફોને દુર કરવા માટે હાથી પાસે જાય છે પરંતુ તે કહે છે કે આ તો મનની સમસ્યા છે તમારે મનોચિકિત્સક પાસે જવું પડશે. જેઠાની આ બાબતથી ટપુ અને બાપૂજી પણ પરેશાન છે કારણકે જેઠો સપના જોતી વખતે બૂમો પાડવા લાગે છે.
જેઠાલાલ આ વાત જાણીને ગભરાઇ જાય છે અને તેમને બીક લાગવા લાગે છે કે જો મનોચિકિત્સક પાસે જઇશ અને લોકોને ખબર પડી જશે તો સોસાયટીમાં તેની કોઇ ઇજ્જન નહી રહી જાય. જેથી તે મનોચિકિત્સક પાસે જવાનું માંડી વાળે છે.
ડૉ. હાથી જેઠાલાલને સમજાવે છે કે આ તણાવભરી લાઇફમાં તણાવનું હોવું સામાન્ય વાત છે અને મોટા મોટા લોકો પણ તણાવથી પિડીત હોય છે તેમાં કંઇ શરમાવા જેવી વાત જ નથી. બાદમાં હાથી જેઠાલાલને મનોચિકિત્સકનો નંબર આપે છે અને જેઠાલાલ માની જાય છે.
આજકાલ દુનિયામાં બનતી ઘટનાઓ દ્વારા જ તારક મહેતા...માં પણ ડિપ્રેશનની બાબતને બતાવવામાં આવી છે.