તારક મહેતા..શોમાં જેઠાલાલને જેલમાં જવુ પડ્યું હતુ, પહેલા જ એપિસોડમાં કેમ આવું થયુ હતુ તે જાણીને તમે પણ હસી પડશો
પહેલા જ એપિસોડમાં જવું પડ્યું જેલ
જેઠાલાલના જીવનમાં પહેલા જ દિવસથી આવતી રહી છે સમસ્યાઓ
આજે પણ યથાવત છે જેઠાલાલની મુશ્કેલીનો હોબાળો
છેલ્લા 12 વર્ષથી કોમેડી સીરિયલના રાજા તરીકેનું પોતાનું સ્થાન યથાવત રાખનાર સિરિયલ તારક મેહેતા કા ઉલટા ચશ્મા શોની લોકપ્રિયતામાં આજે પણ કોઈ ઘટાડો થયો નથી. આ સિરિયલમાં ઘણા કલાકારો આવ્યા અને ગયાં. પાત્રોના ચહેરા પણ બદલાતા રહ્યા તેમ છતાં દર્શકોને આ સિરિયલનો નશો ઉતર્યો નથી. આ શોને આજે પણ ખૂબ જ શોખથી જોવાનું લોકો પસંદ કરે છે. તો આજે જણાવી દઈએ કે કેવી રીતે આ સિરિયલના પહેલા જ એપિસોડમાં જેઠાલાલને જેલમાં જવું પડ્યું હતું.
તારક મહેતા કા ઉલટા ચશ્મા એ સૌથી લાંબો ચાલતો કોમેડી શો બની ગયો છે. છેલ્લા 12 વર્ષથી, આ શો ઘરે ઘરે લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યો છે. શરૂઆતથી લઈને અત્યાર સુધી તેની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો નોંધાયો નથી. આ સિરિયલના ઘણા પાત્રો બદલાયા હોવા છતાં પણ દર્શકોનો રસ જાળવી રાખવામાં આ શો સફળ રહ્યો છે. જો કે, સમય જતાં તેના પાત્રોની લાક્ષણિકતામાં ઘણો ફેરફાર થયો છે. પહેલા એપિસોડથી આજ સુધી પાત્રોના અભિવ્યક્તિ, વાણી અને વર્તનમાં મોટો તફાવત જોવા મળ્યો છે પરંતુ જો કોઈ વસ્તુ અખંડ રહી હોય તો તે છે જેઠાલાલના જીવનમાં આવતો મુશ્કેલીઓનો તબક્કો. મુશ્કેલીઓનો મારો જેઠાલાલના જીવનમાં એપિસોડના પહેલા દિવસથી આજ દિન સુધી અવિરત ચાલતો રહ્યો છે.
કેવી હતી એપિસોડની શરૂઆત
28 જુલાઈ, 2008 ના રોજ, તારક મહેતા કા ઉલટા ચશ્માનો પ્રથમ એપિસોડ ટેલિકાસ્ટ થયો હતો. આ કોમેડી સિરિયલનો મનોરંજક પ્રવાસ આજે પણ ચાલુ છે. પહેલા જ એપિસોડમાં, આ શોનો આઈડિયા ક્યાંથી આવ્યો અને તેને લોકો સુધી કેવી રીતે પહોંચાડવામાં આવ્યો તેની સંપૂર્ણ માહિતી આ શૉ ના લેખક તારક મહેતાના પાત્રના મુખે કહેવામાં આવી છે. કેવી રીતે લેખકે કથામાં રહેલા પોતાના શાબ્દિક અમે નિર્જીવ પાત્રોને જીવંત બનાવીને લોકોના ઘરે ઘરે પહોંચાડ્યા તે તમામ બાબતોની જાણકારી લેખકે પહેલા એપિસોડમાં આપી છે.
શુ બન્યું હતું પહેલા એપિસોડમાં
પહેલા એપોસોડની ખાસ વાત એ હતી કે તેમાં જેઠાલાલને હાથકડી પહેરીને કેદીના પહેરવેશમાં દેખાડવામાં આવ્યા હતા. તેમની પર કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. વકીલ તેમની પર આરોપ લગાવીને દલીલો કરી રહ્યો હતો. આ શૉ માં ગોકુલધામ સોસાયટીના બધા સભ્યો તેમની જુબાની આપી રહયાં હતા.
ચોંકી જવાય એવો હતો જેઠાલાલનો અપરાધ
આ સિરિયલના પહેલા જ એપિસોડમાં જેઠાલાલને આતંકવાદી કરતા પણ વધુ મોટો ગુનેગાર સાબિત કરવામાં આવે છે. તમે જાણીને ચોકી જશો કે જેઠાલાલનો એવો તો કયો અપરાધ હતો. તો જણાવી દઈએ કે જેઠાલાલે સહુથી ખતરનાક એક આઈટમ બૉમ્બ બનાવ્યો છે, જે લોકોના ઘરમાં જઈને તબાહી મચાવે છે. તમને આશ્ચર્ય થશે કે એ આઈટમ બૉમ્બ બીજું કોઈ નહીં પણ આ શોનું એક પાત્ર એટલે કે જેઠાલાલનો દીકરો ટપ્પુ છે.
આજે પણ જેઠાલાલના જીવનમાં છે ભારે હોબાળો
તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલમાં 12 વર્ષ પહેલા શરૂ થયેલો હંગામો આજે પણ ગોકુલધામ સોસાયટીમાં જોવા મળે છે. આજે પણ જેઠાલાલનો હોબાળો ચાલુ છે, ટપ્પુની નાદાની અને શેતાનીઓ ભરેલા પરાક્રમો આજે પણ જેઠાલાલના જીવનમાં મુશ્કેલીઓમાં વધારો કરે છે. ભીડે સાથે આજે પણ જેઠાલાલની તકરારનો અંત આવતો નથી. આજેય બબીતાજીને જોઇને જેઠાલાલ નિસાસો નાંખે છે. જો કે, લોકો દયા ભાભી અને જેઠાલાલની કેમિસ્ટ્રી ગુમાવી રહ્યા છે. દયાબેનનો રોલ કરનારા દિશા વાકાણી છેલ્લા 3 વર્ષથી આ શોથી દૂર થયાં છે. તેઓ ડિલિવરીની રજાઓ પર ગઇ હતી પરંતુ હજી સુધી તે શોમાં પરત આવી શક્યા નથી. મળતી માહિતી અનુસાર નિર્માતાઓએ પણ આ ભૂમિકા માટે બીજા કોઈ ચહેરાની શોધ શરૂ કરી નથી. આવી સ્થિતિમાં તે ટૂંક સમયમાં પાછા આવે તેવી સંભાવના છે.