તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કલાકારો વચ્ચે અનબન થઇ છે અને થોડા દિવસ પહેલા વાત સામે આવી હતી કે જેઠાલાલ અને ટપૂ વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી છે.
દિલીપ-રાજનો ઝઘડો
જેઠાલાલ થયા હતા નારાજ
ટપૂ સાથેના સંબંધને લઇને તોડ્યુ મૌન
જેઠાલાલના ઓનસ્ક્રીન દિકરા ટપૂથી દિલીપ જોષી નારાજ થયા હતા અને રાજને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો પણ કરી દીધો છે.
જેઠાલાલ અને મહેતા સાહેબ વચ્ચેના સંબંધોમાં પણ તિરાડ પડ્યા હોવાનું સામે આવ્યું હતુ. શોમાં હંમેશા જેઠાલાલની મદદ કરતા મહેતા સાહેબ કે જે તેમના ફાયરબ્રિગેડ છે, રિયલ લાઇફમાં બંને એકબીજાની સામે પણ નથી જોતા. હવે રાજ અનડકટ અને દિલીપ જોશી વચ્ચે ખટરાગ છે તેવી વાત સામે આવી છે.
જેઠાલાલે કહી આ વાત
હાલમાં જ જેઠાલાલે રાજ સાથેના સંબંધને લઇને મૌન તોડ્યુ છે. એક રિપોર્ટ અનુસાર જ્યારે ખબરો બહાર આવી કે બંને વચ્ચે સંબંધો સારા નથી રહ્યાં. રિપોર્ટ પ્રમાણે શૂટ પર દિલીપ જોશી સમય પર આવતા હતા અને રાજને ઘણુ ટોકવા છતાં તે સમય પર આવતો નહોતો.
જેઠાલાલે સંબંધોમાં આવેલી ખટાશ વિશે કહ્યું કે, આ ખબરો ખોટી છે, રાજ અને દિલીપ વચ્ચે કોઇ પ્રકારનો ઝઘડો નથી. હવે આ વાત ખરેખર સાચી છે કે ખોટી તે સમય જ બતાવશે.
તારક મહેતાના જેઠાલાલ અને તેમના ઓનસ્ક્રીન દિકરા ટપ્પૂને લઈને થોડાં દિવસથી એવા સમાચાર સામે આવ્યા હતા કે બંને એકબીજાને બિલ્કુલ પસંદ નથી કરતા. દિલીપ જોશી તેમના ઓનસ્ક્રીન દિકરા રાજની કેટલીક હરકતોને કારણે ઘણાં નારાજ હતા. ત્યારે આ મામલે હવે રાજે મૌન તોડ્યું છે અને જડબાતોડ જવાબ આપ્યો છે. ટપ્પૂએ સ્પોટબોય સાથેની વાતચીતમાં આ તમામ અટકળોને બકવાસ ગણાવી છે. રાજે કહ્યું કે હું આવી અફવાઓ પર ધ્યાન આપતો નથી. હું આવી અફવાઓ હસું છું. તેણે કહ્યું કે અમારી વચ્ચે બધું બરાબર છે, મને સમજાતું નથી કે આવી અફવાઓ કેવી રીતે ફેલાય છે.
રાજે વધુમાં કહ્યું કે હું ફક્ત એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરું છું કે હું મારા કામમાં શ્રેષ્ઠ કરી શકું જેથી દર્શકોને મારું કામ ગમે. લોકો અફવાઓ ફેલાવે છે. હું આ તરફ ધ્યાન આપતો નથી.તમને જણાવી દઈએ કે અગાઉ જેઠાલાલ અને તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા વચ્ચે અણબનાવના અહેવાલો પણ આવ્યા હતા, જેના પર બંનેએ સ્પષ્ટતા કરી હતી. બંનેએ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા. શૈલેષ લોઢાએ આ અહેવાલોને ખોટી ગણાવ્યા હતા. તેંણે કહ્યું હતું કે શોની જેમ જ તેની અને દિલીપ વચ્ચે વાસ્તવિક જીવનમાં પણ સારી મિત્રતા છે. બંને વચ્ચે કોઈ સમસ્યા નથી. આ સાથે જ દિલીપ જોશીએ પણ નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આવા સમાચાર કોણ ફેલાવે છે.