તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં રોજ કંઈકને કંઈક ધમાકા થતાં રહે છે. દરેક વર્ગના લોકોમાં આ શો લોકપ્રિય છે. ત્યારે અત્યારે શોમાં પણ કોરોનાના કહેર વચ્ચે જાગરૂકતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યાો છે. અત્યારે શોમાં જેઠાલાલ, પોપટલાલ, અય્યર અને સોઢી જ્યારે સવારે ઓફિસ જવા નીકળે છે ત્યારે ગોકુલધામના મેન ગેટ પર તાળું લાગેલું દેખાય છે, જે બાદ આ લોકો અંદરોઅંદર વાતો કરવા લાગે છે કે સોસાયટીના ગેટ પર તાળું કોણે માર્યું અને પછી જેઠાલાલની મુસીબત વધી જાય છે.
તારક મહેતામાં મચ્યો હડકંપ
ગોકુલધામ સોસાયટીમાં લાગ્યા તાળા
બધાં સોસાયટીની અંદર પૂરાઈ ગયા
સોસાયટીના લોકો વિચારમાં પડી જાય છે કે, સોસાયટીના ગેટ પર તાળું કોણે મારી દીધું. આ કામ તો ગોકુલધામનો એક મેવ સેક્રેટરી આત્મારામ તુકારામ ભિડે જ કરી શકે છે. જે બાદ જેઠાલાલ ભિડેને ફોન કરીને સોસાયટીના મેન ગેટ પર તાળું લગાવવા અંગે પૂછે છે. ત્યારે ભિડેએ તાળું નથી લગાવ્યું જાણ થતાં સોસાયટીમાં હડકંપ મચી જાય છે અને બધાં ગોકુલધામવાસી તાળાને કારણે અંદર ફસાઈ જાય છે. હવે કોણે ગેટ પર તાળું માર્યું અને આગળ શું હગામો થશે એ જોવાનું રહ્યું.
સાથે જ આ પહેલાં દેખાડવામાં આવ્યું હતું કે અય્યરને તેના રિસર્ચ સેન્ટરમાં પ્રમોશન મળી ગયું છે. આ સાંભળીને જેઠાલાલ અય્યરને શુભેચ્છા આપવા તેને હેન્ડશેક કરવા જાય તો અય્યર હેન્ડશેક કરવાનો ઈનકાર કરી દે છે. આ પછી જેઠાલાલને અય્યરનો આ વ્યવહાર પસંદ નથી આવતો અને પછી અય્યર જેઠાલાલને હેન્ડશેક ન કરવાનું કારણ જણાવે છે. પછી જેઠાલાલ અય્યરથી માફી માંગી લે છે.
અત્યારે તારક મહેતામાં મેકર્સ શોના ફેન્સમાં કોરોના પ્રત્યે જાગરૂકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જેથી લોકોને ખબર પડી શકે કે કઈ રીતે કોરોનાના ખતરાથી બચી શકાય છે. આ પહેલાં પણ મેકર્સ શોમાં ઘણાં સામાજિક મુદ્દાઓ પર જાગરૂકતા ફેલાવવાનો પ્રયાસ કરી ચૂક્યા છે.