જેટ એરવેઝના 1100 પાયલટે આજે ઉડાન નહીં ભરવાનો નિર્ણય લીધો છે, પણ NAGએ સ્પષ્ટતા કરી છે કે યૂનિયને હજુ સુધી કોઈ નિર્દેશ કે પ્રસ્તાવ જાહેર કર્યો નથી કે પાયલટ ઉડાન નહીં ભરે.
NAGની આજે ફરી એક વાર બેઠક મળશે અને 1100 પાયલટ આજે ઉડાન ભરશે કે નહીં તે અંગે બેઠકમાં નિર્ણય લેવાશે.
આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલી જેટ એરવેઝના પાયલટને વેતન ના ચૂકવાતા તેઓએ આજે વિમાનોની ઉડાન નહીં ભરવાનો નિર્ણય લીધો છે. જ્યારે બીજી તરફ, જેટ એરવેઝના પાયલટ બોડી નેશનલ એવિએટર ગિલ્ડની ગઈ કાલે બેઠક યોજાઈ હતી. પરંતુ તેઓ આ વાતને સમર્થન નથી આપ્યુ કે આજે પાયલટ ઉડાન નહીં ભરે.
NAGની આજે ફરી એક વાર બેઠક મળશે અને 1100 પાયલટ આજે ઉડાન ભરશે કે નહીં તે અંગે બેઠકમાં નિર્ણય લેવાશે. ઉલ્લેખનીય છે કે, જેટ એરવેઝના 1100 પાયલટે આજે ઉડાન નહીં ભરવાનો નિર્ણય લીધો છે, પણ NAGએ સ્પષ્ટતા કરી છે કે યૂનિયને હજુ સુધી કોઈ નિર્દેશ કે પ્રસ્તાવ જાહેર કર્યો નથી કે પાયલટ ઉડાન નહીં ભરે. NAGના સુત્રોના જણાવ્યા મુજબ કંપનીના લગભગ 1100 પાયલટને વેતન ચૂકવાયુ નથી.
જેના કારણે આજે ઉડાન નહીં ભરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ, જેટ એરવેઝે દક્ષેસ અને આસિયાન વિસ્તારમાં પોતાની વિમાની સેવાઓ અનિશ્ચિતકાળ માટે રદ કરી છે. આ સાથો સાથ ચેન્નાઈથી ટોરેન્ટો અને પેરિસ માટે પણ પોતાની ઉડાન રદ કરી છે. જેટ એરવેઝે કહ્યું કે, એરલાઈને એમ્સટર્ડમ, લંડન હીથ્રો અને પેરિસ આવતી જતી વિમાની સેવા 16 એપ્રિલ સુધી રદ કરી છે.
જેટ એરવેઝ તરફથી રવિવારે એક બીજા મોટા અહેવાલ પ્રાપ્ત થયાં છે. કંપનીએ રવિવારે જણાવ્યું હતું કે તેમના સ્વતંત્ર નિદેશક રાજશ્રી પાથીએ કંપની છોડી દીધી છે. આ અંગેની સૂચના જેટ એરવેઝે શેર બજારમાં આપી. તેમનું રાજીનામું 13 એપ્રિલથી ગણવામાં આવ્યું છે.
જેટ પાઇલટની યુનિયન નેશનલ એવિઅટર્સ ગિલ્ડી (એનએજી)એ જણાવ્યું છે કે કંપની પ્રબંધન અને એસબીઆઇ વચ્ચે યોજાનારી આજની મહત્વની બેઠકને લઇને નિર્ણયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ મીટિંગના આધારે વિમાન ઉડાન ભરશે કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે.