કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જેટ એરવેઝ (jet Airways) ને સુરક્ષા મંજૂરી આપી દીધી છે, જે આગામી થોડાં જ મહિનામાં કોમર્શિયલ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની યોજના બનાવી રહી છે.
Jet Airwaysને સુરક્ષા મંજૂરી આપી દેવાઇ
થોડાં જ મહિનામાં કોમર્શિયલ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની યોજના
IndiGo એ ટેસ્ટિંગ પર પાઠવ્યા અભિનંદન
આગામી થોડાં જ મહિનાની અંદર કોમર્શિયલ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની યોજના બનાવી રહેલી જેટ એરવેઝ (jet Airways) ને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સુરક્ષા મંજૂરી આપી દીધી છે. આ માહિતી એક સત્તાવાર દસ્તાવેજમાંથી મળી આવી છે. જાલાન-કલરોક કંસોર્ટિયમ (સંઘ) હાલમાં જેટ એરવેઝના પ્રમોટર છે. એરલાઇનની માલિકી નરેશ ગોયલ પાસે હતી કે જેને 17 એપ્રિલ, 2019 ના રોજ પોતાની છેલ્લી ફ્લાઇટ સંચાલિત કરી હતી.
...તો સુરક્ષા મંજૂરી કોઈ પણ સમયે પરત ખેંચી લેવાશે
ગયા ગુરુવારે એરલાઇને હૈદરાબાદ એરપોર્ટ પરથી ટેસ્ટ ફ્લાઇટ ચલાવીને 'એર ઓપરેટર' પ્રમાણપત્ર મેળવવા તરફની દિશામાં પગલું ભર્યું હતું. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા 6 મેના રોજ એરલાઇનને મોકલવામાં આવેલા પત્રમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી સુરક્ષા મંજૂરી વિશે જણાવવામાં આવ્યું હતું. જો કે, આ પત્રમાં સુરક્ષા મંજૂરી મળ્યાની પુષ્ટિ કરતા એમ પણ કહેવામાં આવ્યું હતું કે, ભવિષ્યમાં જો ગૃહ મંત્રાલયને પ્રતિકૂળ માહિતી મળવા પર સુરક્ષા મંજૂરી કોઈ પણ સમયે પરત ખેંચી લેવાશે.
MHA gave security clearance to the new promoters of Jet Airways last week. Jet Airways 2.0 plans to resume commercial flight ops next month: MHA official to ANI
The airline conducted a Hyderabad-Delhi test flight on May 5,its first since it ceased ops as it went bankrupt in 2019 pic.twitter.com/LbOeEbOvbA
કંપનીએ 17 એપ્રિલ, 2019 ના રોજ કામગીરી સ્થગિત કરવાની ફરજ પડી હતી
આ પત્ર એવિએશન રેગ્યુલેટર DCGA અને એવિએશન સેફ્ટી રેગ્યુલેટર બીસીએએસને પણ મોકલવામાં આવ્યો. ગયા ગુરુવારે ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) સમક્ષ એ સાબિત કરવા માટે ટેસ્ટિંગ ફ્લાઇટ હાથ ધરવામાં આવી હતી કે વિમાન અને તેના ઘટકો સામાન્ય રીતે કાર્યરત છે. ટેસ્ટ ફ્લાઈટ બાદ એરલાઈને સાબિત ફ્લાઈટ્સ ઓપરેટ કરવાની હોય છે, ત્યાર બાદ DGCA 'એર ઓપરેટર' પ્રમાણપત્ર રજૂ કરે છે. નાણાકીય તંગીના કારણે બે દાયકાથી પણ વધારે સમયથી ફ્લાઈટ્સનું સંચાલન કરતી જેટ એરવેઝને 17 એપ્રિલ, 2019ના રોજ કામગીરી સ્થગિત કરવાની ફરજ પડી હતી.
IndiGo એ ટેસ્ટિંગ પર અભિનંદન પાઠવ્યા
Jet Airwaysની ટેસ્ટિંગ ફ્લાઈટ IndiGo એ અભિનંદન પાઠવ્યા હતાં. કંપનીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, નવી ઇનિંગ્સની આ તૈયારી માટે અભિનંદન.
ત્યાર બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની આગેવાની હેઠળના ધિરાણકર્તાઓના એક સંઘે જૂન 2019 માં રૂ. 8,000 કરોડથી વધુના લેણાંની વસૂલાત માટે નાદારીની અરજી દાખલ કરી હતી. ઑક્ટોબર 2020માં, એરલાઇનની કમિટી ઑફ ક્રેડિટર્સ (CoC) એ UKની Colorrock Capital અને UAE સ્થિત ઉદ્યોગ સાહસિક મુરારી લાલ જાલાનના સંઘ (કન્સોર્ટિયમ) દ્વારા પ્રસ્તુત સમાધાન યોજનાને મંજૂરી આપી. જૂન 2021 માં, આ સમાધાન યોજનાને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ દ્વારા પણ મંજૂરી આપવામાં આવી હતી.