ચાર મહિના સુધી આર્થિક મુશ્કેલીઓ સામે ઝઝૂમ્યા પછી જેટ એરવેઝની તમામ ફ્લાઈટ બુધવારે રાત્રે બંધ થઈ ગઈ. એરલાઈન્સે એક નિવેદનમાં કહ્યું હતું કે અમે તમામ ફ્લાઈટ હંગામી ધોરણે બંધ કરી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, તમામ ફ્લાઈટ ફરી શરૂ થશે, પરંતુ તે લિલામી પર નિર્ભર કરે છે. લિલામીમાં ભાગ લેનારી કંપનીઓએ 10મી મે સુધી બોલી જમા કરાવવાની છે. ત્યાર પછી નક્કી કરાશે કે કોણે વધુ બોલી લગાવી. બોલી જીતનારી કંપનીના રોકાણ પછી ફ્લાઈટો ફરી શરૂ થઈ જવાની શક્યતા છે.
આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલી જેટ એરવેઝની ઉડાન બુધવારથી બંધ થઈ છે. જેટ એરવેઝની સેવા હવેબંધ કરવામાં આવી છે. જેટ એરવેઝે છેલ્લી ઉડાન અમૃતસરથી મુંબઈ માટે ભરી હતી. જેટનું કહેવું છે કે, હાલ ઉડાન અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે.
જેટ એરવેઝ હવે ઉડાન ક્યારે શરૂ થશે એ હરાજી બાદ જ સામે આવશે. તો હરાજીમાં ભાગ લેવા ઈચ્છતી કંપનીઓને પણ 10 મે સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ પહેલા જેટે કહ્યું હતુ કે, બેંકોએ રૂપિયા 400 કરોડનો ઈમરજન્સી ફંડ આપવાથી ઈનકાર કર્યો છે.
આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલી જેટ એરવેઝની સેવા થઈ બંધ, બેંકોએ રૂ. 400 કરોડનું ઈમરજન્સી ફંડ આપવાથી કર્યો ઈનકાર, જેટ એરવેઝની ઉડાન અસ્થાયી રીતે કરાઈ બંધ, નીલામી બાદ શરૂ થઈ શકે છે ઉડાન pic.twitter.com/3t9SjAfMIy
ઉલ્લેખનીય છે કે, પાટલટ્સને પણ ડિસેમ્બર મહિનાથી વેતન મળ્યુ નથી અને તેઓએ પણ ઉડાન ભરવાથી ઈનકાર કર્યો હતો, પણ બેંકે ફંડિંગથી ઈનકાર કરતા ઉડાન બંધ કરવામાં આવી છે. તો સિવિલ એવિએશન સેક્રેટરી પ્રદીપસિંહ ખરોલાએ કહ્યું કે, આજે એરલાઈન્સની બેઠક બોલાવવામાં આવી છે અને તેમાં યાત્રીઓ માટે શું કરી શકાય તે નક્કી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાલની સરકારમાં બંધ થનારી જેટ 7મી એરલાઈન્સ છે. આ પહેલા પિગેસસ, એર કોસ્ટા, એર કાર્નિવલ, એર ડેક્કન, એર ઓડિસા અને જૂમ એર પણ બંધ થઈ છે.