જેટ એરવેઝ જે નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે અંતે તેની મુશ્કેલી વધી છે. આંતરરાષ્ટ્રીય ઉડાન પછી કંપનીએ દેશભરના તમામ માર્ગો પર તેની ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે, અને અસ્થાયી રૂપે કામગીરીને સ્થગિત કરી છે.
જેટ એરવેઝનું ઓપરેશન સસ્પેંડ થવાથી, જેટ એરવેઝના 20,000 કર્મચારીઓ પર મહાસંકટ ઉભું થયું છે. આ સંકટ ઉગારવાના માત્ર હવે બે રસ્તા જ બચ્યા છે.
શું છે તે રસ્તા?
જેટ એરવેઝ આર્થિક સંકટને કારણે મુશ્કેલીમાં મુકાઈ છે, અને તેના 20 હજાર કર્મચારીઓ પોતાની નોકરી ગુમાવશે તેવો ભય છે. હવે તેમની પાસે કોઈ વિકલ્પ નથી. છેલ્લા કેટલાક મહિનાથી તેઓને પગાર મળી રહ્યો ન હતો અને હવે કંપની બંધ થયા પછી તેમના પર મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો છે. બેંકોના 400 કરોડ રૂપિયાનું ઇમરજન્સી ફંડ ન મળ્યું પછી એરલાઇને તેના પરિચાલનને બંધ કરવાની જાહેરાત કરવી પડી હતી. જેટ એરવેઝનું પરિચાલન બંધ થવાથી ન માત્ર કર્મચારીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે, પણ રોકાણકારોના પૈસા પણ ડૂબી ગયા છે.
અગાઉથી ટિકિટ બુક કરનારા મુસાફરોનું રિફંડ પણ ફસાઈ ગયું છે. એરલાઇન સપ્લાયરોના કરોડો રૂપિયા ફસાઈ ગયા છે. રોકાણકારોના પૈસા અટવાઇ ગયા છે. એરલાઇન્સ પર 8500 કરોડ રૂપિયાનું દેવું છે. વર્ષ 2010 થી, કંપની પર દેવાની કટોકટી શરૂ થઈ હતી અને છેલ્લા ચાર ક્વાર્ટરમાં નુકસાનએ કંપનીની કમર તોડી નાખી છે.
વિમાન કંપની નજીકના ધિરાણકર્તાઓ વતી બોલીને ફાઇનલ કરવાની પ્રક્રિયાની રાહ જોઈ રહી છે. SBI કેપે જેટ એરવેઝના વેચાણ માટે 32.1થી 75 ટકા હિસ્સાના વેચાણ માટે બોલીઓ આમંત્રિત કરી હતી. કંપનીના પૂર્વ પ્રમોટરો સુધી બોલી પ્રક્રિયાથી પોતાનો હાથ પાછો ખેંચી લીધો છે. કંપની હિસ્સેદારી વેચીને દેવાનો બોઝ હળવો કરી શકે છે.જો કે હાલ તો તમામ લોકોની મુશ્કેલીઓ વધી છે.