જેટ એરવેઝની તકલીફોમાં ફરીએકવાર વધારો થયો છે, આર્થિક તંગીને કારણે તેણે ઉડાન ભરવાનું બંધ કર્યું ત્યારથી દિગ્ગજ અધિકારીઓ વારંવાર રાજીનામું આપી રહ્યા છે. ત્યારે વધુ એક ઉચ્ચ અધિકારીએ પોતાના પદેથી રાજીનામું ધરી દીધું હતું.
ઉલ્લેખનીય છે કે, કંપનીના એક્ઝિક્યુટીવ અને ચીફ ફાઇનાન્સ ઓફિસર અમિત અગ્રવાલે રાજીનામુ ધરી દીધા બાદ આજરોજ CEO વિનય દૂબે અને ચીફ પીપલ ઓફિસર રાહુલ તનેજાએ રાજીનામુ ધરી દીધું હતું. આ ઘટનાને પગલે હડકંપ મચી જવા પામ્યો હતો.
આપને જણાવી દઇએ કે, ચાર મહિના સુધી આર્થિક મુશ્કેલીઓ સામે ઝઝૂમ્યા પછી જેટ એરવેઝની તમામ ફ્લાઈટ તાજેતરમાં બંધ થઈ ગઈ. એરલાઈન્સે એક નિવેદનમાં કહ્યું હતું કે અમે તમામ ફ્લાઈટ હંગામી ધોરણે બંધ કરી છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, તમામ ફ્લાઈટ ફરી શરૂ થશે, પરંતુ તે લિલામી પર નિર્ભર કરે છે. લિલામીમાં ભાગ લેનારી કંપનીઓએ 10મી મે સુધી બોલી જમા કરાવવાની છે. ત્યાર પછી નક્કી કરાશે કે કોણે વધુ બોલી લગાવી. બોલી જીતનારી કંપનીના રોકાણ પછી ફ્લાઈટો ફરી શરૂ થઈ જવાની શક્યતા છે.