જેનિફરે માત્ર અસિત મોદીને જ નહીં પરંતુ શોના ઓપરેશન હેડ સોહેલ રામાણી અને શોના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ પર પણ ઘણા આરોપો લગાવ્યા છે.
જેનિફરે શોના ઓપરેશન હેડ સોહેલ રામાણી પર આરોપો લગાવ્યા
'શો માટેનું મારુ પેમેન્ટ રોકી દેવામાં આવ્યું હતું '
કહ્યું પ્રોડક્શન સબસે ઉપર હૈ, એક્ટર નીચે હૈ
સેટ પર કલાકારોને ખૂબ માનસિક ત્રાસ આપવામાં આવે છે
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન ભાભીનું પાત્ર ભજવતી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલાએ તાજેતરમાં શોના નિર્માતા અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. નોંધનીય છે કે અભિનેત્રીએ પણ 15 વર્ષ બાદ આ શો છોડી દીધો છે. જેનિફર શરૂઆતથી જ આ શો સાથે જોડાયેલી હતી અને હવે તેણે અસિત મોદી પર ઘણા આરોપો લગાવ્યા છે. જેનિફરે માત્ર અસિત મોદીને જ નહીં પરંતુ શોના ઓપરેશન હેડ સોહેલ રામાણી અને શોના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ પર પણ ઘણા આરોપો લગાવ્યા છે. આ સાથે જ તેને એમ પણ કહ્યું કે મેઇન 2-4 કેરેક્ટર છોડીને લગભગ આખી કાસ્ટ આ લોકોથી પરેશાન છે.
'શો માટેનું મારુ પેમેન્ટ રોકી દેવામાં આવ્યું હતું '
આ વિશે વાત કરતાં જેનિફરે કહ્યું કે 5 ઓક્ટોબરનો દિવસ હતો અને મને પેમેન્ટ નહતું મળ્યું. મેં મારા એકાઉન્ટન્ટને ફોન કર્યો અને તેણે મને સોહેલ સાથે વાત કરવાનું કહ્યું. મેં પૂછ્યું કે હું શા માટે મારે તેની સાથે વાત કરું મારે હિસાબ માટે તારી સાથે વાત કરવી જોઈએ પણ તેને મને કહ્યું કે 'સોહેલે તને તેની સાથે વાત કરવાનું કહ્યું છે.' મેં કશું કહ્યું નહિ. જે બાદ 7 ઓક્ટોબર સોમવારના રોજ હું પ્રોડ્યુસર અસિત મોદીને તેમની ઓફિસમાં મળવા ગઈ અને મને બે કલાક રાહ જોવડાવ્યા પછી મને બે મિનિટ મળ્યા બાદમાં મે એમને કહ્યું કે 'સર, મને સપ્ટેમ્બર મહિનાનું મારું પેમેન્ટ મળ્યું નથી.' જેના પર તેણે કહ્યું હતું કે, 'હું કંઈ કરી શકતો નથી, સોહેલ સાથે વાત કરો.' મેં તેને કહ્યું, 'પહેલા પણ મારા હાફ ડે કપાતા અને હવે મારુ પેમેન્ટ રોકી દેવામાં આવ્યું છે.' તેણે તરત જ કહ્યું, 'હું કંઈ કરી શકતો નથી. સોહેલનું એ કામ છે અને તેની સાથે વાત કરો.'
પ્રોડક્શન સબસે ઉપર હૈ, એક્ટર નીચે હૈ
સોહેલને તેનો અહંકાર હતો અને તેણે મન બનાવી લીધું હતું કે જ્યાં સુધી હું તેને ફોન નહીં કરું ત્યાં સુધી તે મારું પેમેન્ટ રિલીઝ નહીં કરે. છેવટે, 5-7 દિવસ પછી, મારા એક મિત્રએ મને સલાહ આપી કે મારે મારી મહેનતથી કમાયેલા પૈસા જવા ન દેવા જોઈએ. મને મારું ઘર ચલાવવા માટે આર્થિક સહાયની પણ જરૂર હતી. મેં સોહેલને ફોન કરીને પૂછ્યું, 'તમે મારું પેમેન્ટ બ્લોક કર્યું છે?' તેના સાફ શબ્દો હતા, 'અભી કોલ કિયા હૈ ના, આધે ઘંટે મેં પેમેન્ટ આ જાયેગી' મેં તેમને પૂછ્યું કે મારુ પેમેન્ટ કેમ રોક્યું? તેણે કહ્યું, 'પ્રોડક્શન વાલે સે ઐસા બાત નહીં કરને કા. પ્રોડક્શન સબસે ઉપર હૈ, એક્ટર નીચે હૈ.'
સેટ પર કલાકારોને ખૂબ માનસિક ત્રાસ આપવામાં આવે છે
આ સિવાય જેનિફર મિસ્ત્રીએ કહ્યું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર કલાકારોને ખૂબ માનસિક ત્રાસ આપવામાં આવે છે. તેણે કહ્યું કે તેને પાસપોર્ટને લગતા કોઈ કામ માટે પાસપોર્ટ ઓફિસ જવાનું હતું. આ માટે તેણે 3 કલાકની રજા લીધી હતી. પરંતુ આ માટે ન તો તેની સાથે યોગ્ય રીતે વાત કરવામાં આવી, આ ઉપરાંત તેનો અડધા દિવસનો પગાર પણ કાપી લેવામાં આવ્યો. તેણે શોના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ વિશે પણ કહ્યું કે તે ક્યારેય યોગ્ય રીતે વાત કરતાં નથી. આ ઉપરાંત જેનિફરના કહેવા પ્રમાણે, શોના અન્ય લોકો પણ આ જ રીતે માનસિક રીતે ટોર્ચર કરે છે.
તેઓ કામ કરતા હોવાથી કોઈ બોલશે નહીં
આવી ઘટનાઓ અસંખ્ય વખત બની છે, જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. 2-4 મુખ્ય કલાકારો સિવાય, સેટ પર બાકીના બધા સાથે આ માનસિક ત્રાસ આપવામાં આવે છે પણ તેઓ કામ કરતા હોવાથી કોઈ બોલશે નહીં. હું પણ છેલ્લા ઘણા સમયથી દબાણમાં હતી અને આ લોકો મને પૂછે છે કે મેં 15 વર્ષ પછી અવાજ કેમ ઉઠાવ્યો. મેં હવે હિંમત ભેગી કરી છે અને હું બોલી શકી છું.
આ સ્ટાર્સે પણ શો છોડી દીધો છે
તારક મહેતા શોની વાત કરીએ તો ભૂતકાળમાં ઘણા લોકોએ આ શો છોડી દીધો છે. શૈલેષ લોઢા શરૂઆતથી જ શો સાથે જોડાયેલા હતા અને તેમણે પણ પેમેન્ટ સંબંધિત સમસ્યાઓના કારણે શો છોડી દીધો હતો. આ સિવાય રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર નેહા મહેતા અને અંજલિ મહેતાએ પણ શો છોડી દીધો હતો.