ઈંડિયન ઈંસ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી મુંબઈ દ્વારા જેઈઈ એડવાંસ પરીક્ષાનું શિડ઼્યૂલ જાહેર કરવામાં આવ્યું છે, સાથે શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થીઓને મોટી રાહત આપવાની પણ જાહેરાત કરી છે.
JEE એડવાંસ પરીક્ષાનું શિડ્યૂલ થયું જાહેર
વિદ્યાર્થીઓને આ વખતે પણ મળશે મોટી રાહત
ચેક કરી લો આ સમગ્ર શિડ્યૂલ
ઈંડિયન ઈંસ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી મુંબઈ દ્વારા જાહેર કરવામાં આવેલા શિડ્યૂલ અનુસાર આ વર્ષે JEE એડવાંસની પરીક્ષા 3 જૂલાઈથી થશે, જ્યારે રજિસ્ટ્રેશન પ્રક્રિયા 8 જૂનથી શરૂ થશે. ઓનલાઈન અરજી માટે અંતિમ તારીખ 14 જૂન છે. શિડ્યૂલ મુજબ JEE એડવાંસ પરીક્ષામાં બે પેપર હશે. પેપર 1 સવારે 9 વાગ્યાથી 12 અને પેપર 2 બપોરે 2.30થી 5.30 સુધી આયોજીત કરવામાં આવશે. પરિણામ 18 જૂલાઈએ જાહેર કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, JEE એડવાંસ પરીક્ષામાં સફળતા મેળવનારા વિદ્યાર્થીઓએ આઈઆઈટી સંસ્થાઓમાં એન્જીનિયરીંગમાં ગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન લઈ શકશે.
આ રહ્યું પરીક્ષાનું શિડ્યૂલ
રજીસ્ટ્રેશન 8થી 14 જૂન
ફીની લાસ્ટ ડેટ- 15 જૂન
એડમિટ કાર્ડ- 27 જૂન
પરીક્ષાની તારીખ- 3 જૂલાઈ
75 ટકા માર્ક્સની શરત હટાવી
સરકાર દ્વાર આ વખતે JEE એડવાંસ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. એડવાંસમાં સફળ વિદ્યાર્થી આ વખતે જો બોર્ડમાં 75 ટકાથી ઓછા માર્ક્સ અથવા ટોપ 20 પરસેંટાઈલમાં સામેલ નહીં હોય તો પણ તે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે.
કેન્દ્રીય શિક્ષણમંત્રાલયે શૈક્ષણિક વર્ષ 2022-23 માટે જેઈઈ પરીક્ષા પાત્રતામાં ન્યૂનત્તમ 75 ટકાની શરતમાં છૂટ આપવાની જાહેરાત કરી દીધી છે. અહીં ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય શિક્ષણમંત્રીના આદેશ બાદ જેઈઈ એડવાંસની તારીખની ઘોષણા સમયે કોવિડ 19ની સ્થિતિ જોતા આ છૂટ આપવાની જાહેરાત કરી છે.