JEEની મુખ્ય પરીક્ષાની તારીખોની રાહ જોઈ રહેલ લાખો વિદ્યાર્થીઓ માટે આજે પરીક્ષાની તારીખો આવી ગઈ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશંકે બાકી રહેલ વિભાગની તારીખો જાહેર કરી દીધી છે.
20 જુલાઇથી 2 ઓગસ્ટ 2021 સુધીમાં યોજાશે
જે વિદ્યાર્થીઓએ ફોર્મ નથી ભર્યા તે પણ ભરી શકાશે
NEET UG 2021ની પરીક્ષાની તારીખ પણ જલ્દી જ જાહેર થશે
20 જુલાઇથી 2 ઓગસ્ટ 2021 સુધીમાં યોજાશે
JEEની મુખ્ય પરીક્ષાની તારીખોની રાહ જોઈ રહેલ લાખો વિદ્યાર્થીઓ માટે આજે પરીક્ષાની તારીખો આવી ગઈ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશંકે બાકી રહેલ વિભાગની તારીખો જાહેર કરી દીધી છે. તેમણે જાહેર કરેલ તારીખો મુજબ JEE MAINS ની ત્રીજા ચરણની પરીક્ષા 20 જુલાઇથી 25 જુલાઇ સુધીમાં યોજાશે, જ્યારે તેના ચોથા ચરણની પરીક્ષા જે મે મહિનામાં થવાની હતી તે હવે 27 જુલાઇથી 2 ઓગસ્ટ 2021 સુધીમાં યોજાશે.
જે વિદ્યાર્થીઓએ ફોર્મ નથી ભર્યા તે પણ ભરી શકાશે
જે બાળકો કોઈ કારણથી ફોર્મ નથી ભરી શકયા, તેવા વિદ્યાર્થીઓને પણ ફોર્મ ભરવાની સુવિધા આપવામાં આવી છે. આવા વિદ્યાર્થીઓ 6 જુલાઇથી લઈ 8 જુલાઇ 2021 રાત્રે 11.50 વાગ્યા સુધી ફોર્મ ભરી શકશે. ચોથા ચરણની પરીક્ષા માટે 9 જુલાઇ થી 11 જુલાઇ સુધી ફોર્મ ભરી શકાશે. વિગતો મુજબ નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ આ વર્ષે JEE MAINS ની પરીક્ષા ચાર ભાગમાં આયોજન કરવાનું નક્કી કર્યું હતું, જેમાં બે સત્રની પરીક્ષા ફેબ્રુઆરી અને માર્ચ 2021માં પૂરી થઈ ગઈ. ત્રીજા અને ચોથા ભાગની પરીક્ષા એપ્રિલ અને મે મહિનામાં યોજાવાની હતી પણ જે કોરોનાની બીજી લહેરને કારણે સ્થગિત કરવામાં આવી.
NEET UG 2021ની પરીક્ષાની તારીખ પણ જલ્દી જ જાહેર થશે
આ માટેની સૂચના અધિકૃત વેબસાઇટ પર આપવામાં આવી હતી કે મહામારીની સ્થિતિ કાબૂમાં આવ્યા બાદ સ્થગિત કરેલ પરીક્ષા યોજવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે કોરોનાના કેસો ઓછા થતાં અને દરેક રાજ્યમાં ધીમે ધીમે અનલોક થતાં શિક્ષા મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પેહલા એવું પણ માનવામાં આવી રહ્યું હતું કે NEET UG 2021ની પરીક્ષા ઓગસ્ટ મહિનાને બદલે સપ્ટેમ્બર મહિનામાં યોજાઇ શકે છે પણ આ વાતની કોઈ ખરાઈ કરાઇ નથી. તેથી જલ્દી જ તે પરીક્ષાઓની તારીખ પણ જાહેર કરવામાં આવશે.