કેન્દ્ર સરકારે JEE Main પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આ સંબંધમાં નોટીસ જારી કરી દીધી છે.
કેન્દ્ર સરકારે JEE Main પરીક્ષા સ્થગિત કરી
24 થી 28 મે 2021 ની વચ્ચે થવાની હતી
નવી તારીખ અંગે હાલમાં કોઈ નિર્ણય નહીં
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડો.રમેશ પોખરિયાલે ટ્વિટ કર્યું
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડો.રમેશ પોખરિયાલ નિશંકે ટ્વિટ કરીને જેઈઈ મેઈન પરીક્ષા રદ કરવાના નિર્ણયની જાણ કરી હતી.
ક્યારે યોજાવાની હતી JEE Main પરીક્ષા
એનટીએ જણાવ્યું કે જેઈઈ મેઈન 2021 ના બન્ને સત્રોની પરીક્ષા ફેબ્રુઆરી અને માર્ચમાં લેવાઈ ચૂકી છે. 27,28 અને 30 એપ્રિલે પરીક્ષા યોજવાની હતી પરંતુ કોરોનાને કારણે તેને સ્થગિત કરી દેવાઈ છે. હવે જેઈઈ મેઈન મે 2021 પરીક્ષા પણ સ્થગિત કરવામાં આવી છે. આ પરીક્ષા 24 થી 28 મે 2021 ની વચ્ચે થવાની હતી.પરંતુ હાલની પરિસ્થિતિ અનૂકૂળ ન હોવાથી પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે.
Looking at the present situation of COVID-19 and keeping students safety in mind, JEE (Main) - May 2021 session has been postponed .
Students are advised to keep visiting the official website of NTA for further updates.@DG_NTApic.twitter.com/utMUGrmJNi
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) May 4, 2021
હવે કઈ તારીખે યોજાશે JEE Main પરીક્ષા
JEE Main પરીક્ષાનું આયોજન કરનાર નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે નવી તારીખ અંગે હાલમાં કોઈ નિર્ણય કરાયો નથી પરંતુ થોડા વખતમાં તે નક્કી કરી લેવામાં આવશે. એનટીએ રજિસ્ટ્રેશન પણ શરુ કર્યું નહોતું. રજિસ્ટ્રેશનની તારીખ પણ પાછળથી જાહેર કરવામાં આવશે.
એનટીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ પરીક્ષાના સંબંધમાં લેટેસ્ટ અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઈટ nta.ac.in અને jeemain.nta.nic.in જોઈ શકે છે. આ પરીક્ષાના સંબંધમાં કોઈ પણ પ્રકારની જાણકારી માટે 011-40759000 પર ફોન કરી શકાય છે અથવા તો [email protected] પર ઈમેલ કરીને જોઈતી માહિતી લઈ શકાય છે.