સુપ્રીમ કોર્ટે ફરી એકવાર 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી યોજાનારી JEE Main અને 13 સપ્ટેમ્બરના રોજ આયોજીત NEET UGની પરીક્ષાને લીલીઝંડી મળી ગઇ છે. હવે સ્પષ્ટ થાય છે કે, દેશભરમાં જેઇઇ મેઇન અને નીટની પરીક્ષા પોતાના નક્કી થયેલ શેડ્યૂલ પ્રમાણે જ યોજાશે.
NEET-JEE પરીક્ષાને SCની લીલી ઝંડી
છ રાજ્યોની પુનર્વિચાર અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે આજે છ રાજ્યોના છ કેબિનેટ મંત્રીઓની પુનર્વિચાર અરજીને ફગાવી દીધી છે. નોંધનીય છે કે, પરીક્ષાઓના પુનર્વિચારણા માટેની અરજી સુપ્રીમ કોર્ટના 17 ઓગસ્ટના હુકમની વિરુદ્ધ કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
પુનર્વિચારણાની અરજી સુપ્રીમે ફગાવી
ચેમ્બરમાં ત્રણ ન્યાયાધીશની બેંચે જેઇઇ મેઈન અને એનઈઈટી પરીક્ષાઓ અંગે વિચારણા કરી. જસ્ટીસ અશોક ભૂષણ, જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ ક્રિષ્ના મુરારીની ખંડપીઠ પર વિચાર કર્યા પછી, છ રાજ્યોના કેબિનેટ મંત્રીઓ દ્વારા જેઇઇ મેઈન અને એનઈઈટી પરીક્ષાઓ પર પુનર્વિચારણા કરવા અરજીને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર મામલો ?
આપને જણાવી દઇએ કે, સુપ્રીમ કોર્ટમાં જેઇઇ અને નીટ પરીક્ષા પર પુનર્વિચાર કરવા માટેની અરજી દાખલ કરવામાં આવી હતી. વકીલ સુનિલ ફર્નાન્ડિસના માધ્યમથી દાખલ કરવામાં આવેલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટે 17 ઓગસ્ટનો આદેશ NEET અને JEE પરીક્ષામાં સામેલ થનારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાના અધિકાર મામલે નિષ્ફળ રહી છે.
ખંડપીઠના અધ્યક્ષ ન્યાયાધીશ અરૂણ મિશ્રાનું નિવેદન
નોંધપાત્ર વાત એ છે કે, 17 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર 2020 માં યોજાનારી રાષ્ટ્રીય પાત્રતા કમ પ્રવેશ પરીક્ષા (NEET) અને સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE) મુલતવી રાખવાની અરજી નામંજૂર કરી હતી. ખંડપીઠના અધ્યક્ષ ન્યાયાધીશ અરૂણ મિશ્રાએ કહ્યું કે, પરીક્ષા મુલતવી રાખવાથી વિદ્યાર્થીઓની કારકીર્દિ મુશ્કેલીમાં મુકાશે. ન્યાયમૂર્તિ અરુણ મિશ્રાએ અરજીઓ નામંજૂર કરતી વખતે કહ્યું કે જીવન પણ COVID-19 માં આગળ વધવું જોઈએ. શું આપણે ફક્ત પરીક્ષા રોકી શકીએ? આપણે આગળ વધવું જોઈએ. પરીક્ષા ન થાય તો દેશનું નુકસાન થશે નહીં? વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ ગુમાવશે.