લોકસભામાં વિવાદીત નાગરિકતા સંશોધન બિલ પાસ તો થઇ ગયું છે કે પરંતુ હવે બિહારમાં એનડીએની સહયોગી જેડીયૂમાં બિલના સમર્થનને લઇને વિરોધના સુર તેજ થયા છે. પાર્ટીના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર બાદ હવે મહાસચિવ અને જેડીયૂ પ્રવક્તા પવન વર્માએ પણ બિલ પર વિરોધ દર્શાવ્યો છે. સાથે જ બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂ નીતીશ કુમારને સમર્થનના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું છે.
પ્રશાંત કિશોર બાદ જેડીયૂના પ્રવક્તા પવન વર્માએ બિલનો વિરોધ કર્યો
CM નીતીશ કુમારને નિર્ણય પર પુનર્વિચાર કરવા કરવા કહ્યું
જેડીયૂનું નાગરિકતા બિલને સમર્થન આપવું પાર્ટીના બંધારણની વિરુદ્ધ છે
જેડીયૂ પ્રવક્તાએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી બિલ પર વિરોધ નોંધાવ્યો છે. તેઓએ લખ્યું, હું નીતીશ કુમારને અપીલ કરુ છું કે રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ (CAB) ના સમર્થન પર પુનર્વિચાર કરે. આ બિલ ગેરબંધારણીય, ભેદભાવપૂર્ણ અને દેશની અખંડતા અને સંપની વિરુદ્ધ છે. આ ઉપરાંત બિલનું સમર્થન જેડીયૂના સેક્યુલર સિદ્ધાંતો વિરુદ્ધ પણ છે. ગાંધીજી આ બિલનો પૂર્ણ રીતે વિરોધ કરતા.
I urge Shri Nitish Kumar to reconsider support to the #CAB in the Rajya Sabha. The Bill is unconstitutional, discriminatory, and against the unity and harmony of the country, apart from being against the secular principles of the JDU. Gandhiji would have strongly disapproved it.
આ પહેલા જેડીયૂ ઉપાધ્યક્ષ અને રાજનીતિના રણનીતિકાર પ્રશાંત કિશોરે ટ્વિટ કરી બિલનો વિરોધ કર્યો હતો. જેડીયૂના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે પાર્ટી લાઇનની વિરુદ્ધ જતા સોમવારે નાગરિકતા બિલને સમર્થન આપવાના પાર્ટીના નિર્ણયને નિરાશાજનક બતાવ્યો હતો. પ્રશાંત કિશોરે કહ્યું હતું કે આ પાર્ટીના બંધારણના વિરુદ્ધ પણ છે.
જેડીયૂ ગાંધીજીના આદર્શો પર ચાલે છે
તેઓએ પોતાના ટ્વિટમાં લખ્યું, આ જોઇને ઘણા નિરાશ છીએ કે જેડીયૂ નાગરિકતા સંશોધન બિલનું સમર્થન કરી રહી છે. જે ધર્મના આધાર પર નાગરિકતાના અધિકારમાં ભેદભાવ કરે છે. તેઓએ કહ્યું કે, જેડીયૂનું નાગરિકતા બિલને સમર્થન આપવું પાર્ટીના બંધારણની વિરુદ્ધ છે. જેમા પહેલા જ પાના પર ધર્મનિરપેક્ષતા શબ્દ ત્રણ વાર લખ્યું છે. આ ઉપરાંત આ પાર્ટીની લીડરશિપની વિપરિત છે જે ગાંધીના આદર્શો પર ચાલે છે.
Disappointed to see JDU supporting #CAB that discriminates right of citizenship on the basis of religion.
It's incongruous with the party's constitution that carries the word secular thrice on the very first page and the leadership that is supposedly guided by Gandhian ideals.
નોંધનીય છે કે, લોકસભામાં જેડીયૂએ નાગરિકતા સંશોધન બિલનું સમર્થન કર્યું હતું. લોકસભામાં જેડીયૂના 16 સાંસદ છે. જ્યારે રાજ્યસભામાં કુલ 6 સાંસદ છે. રાજ્યસભામાં મંગળવારે બિલ રજુ થવાની તૈયારીમાં છે.