નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC) ને લઇને અલગ-અલગ જગ્યાઓ પર પ્રદર્શન થઇ રહ્યા છે. હાલ આખા દેશમાં એનઆરસી લાગૂ નથી થયું, પરંતુ લોકોની વચ્ચે દેશભરમાં એનઆરસી લાગૂ કરવાના સંભવિત પ્રસ્તાવને લઇને હંગામો જોવા મળી રહ્યો છે.
દેશમાં નાગરિકતા કાયદા અને એનઆરસીને લઇને પ્રદર્શન
NDAની સહયોગી પાર્ટીઓ ભાજપથી નારાજ
લોક જનશક્તિ પાર્ટીની માંગ, સરકાર લોકોને સાંભળે
હવે સમાચાર મળી રહ્યા છે કે, NDA માં શામેલ ત્રણ રાજકીય પાર્ટીઓ NRC અને CAAને લઇને લોકોમાં ઉભા થઇ રહેલા ડરને કારણે કેન્દ્ર સરકારથી નાખુશ છે. આ ત્રણેય પાર્ટીઓમાં અકાલી, લોક જનશક્તિ પાર્ટી અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની આગેવાની વાળી જનતા દળ યૂનાઇટેડ સામેલ છે. આ વચ્ચે હવે જનતા દળ યૂનાઇટેડ (JDU)એ બીજેપી સમક્ષ માંગ કરી છે કે, તે એનડીએમાં સામેલ અન્ય સહયોગી પાર્ટીઓની એક મીટિંગ બોલાવે.
આ બેઠકમાં એનઆરસી પર આમ જનતાની પ્રતિક્રિયાઓ અને તેમની ચિંતાઓને લઇને ચર્ચા થવાની આશા વ્યક્ત કરાઇ રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં જનતા દળ યૂનાઇટેડના પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું કે NDA માં સામેલ ઘણી પાર્ટીઓએ એનઆરસીને લઇને પોતાની નારાજગી જાહેર કરી છે. જો એનડીએની બેઠક બોલાવવામાં આવે છે તો જેડીયૂ તેનું સ્વાગત કરશે. સીએએને લઇને થઇ રહેલા વિરોધ વચ્ચે વર્તમાન સ્થિતિ પર આ મીટિંગ ઘણી મહત્વપૂર્ણ છે. જેડીયૂના પ્રવક્તાએ કહ્યું કે, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે સ્પષ્ટ કરી દીધું છે કે, બિહારમાં એનઆરસી લાગૂ નથી થાય અને અમે એનઆરસીની વિરુદ્ધ છીએ.
એનડીએની અન્ય એક સહયોગી લોક જનશક્તિ પાર્ટીએ પણ કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરી છે કે, એનઆરસીને લઇને લોકોની વચ્ચે જે ડરનો માહોલ છે, સરકાર તેને દૂર કરે અને લોકોને સાંભળે. પાર્ટી પ્રમુખ ચિરાગ પાસવાને ટ્વિટ કરતા લખ્યું હતું કે, જે લોકો પણ એનઆરસી વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે, તેને લઇને સરકારની જવાબદારી છે કે સરકાર તેને વિશ્વાસમાં લે. કેન્દ્રમાં ગઠબંધનની સહયોગી પાર્ટી હોવાને કારણે લોક જનશક્તિ પાર્ટી માંગ કરે છે કે, કેન્દ્ર સરકાર પ્રદર્શનકારીઓ સાથે સંવાદ કરે અને તેમની વાતને સાંભળે.