બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર (Nitish Kumar) એ તમામ અટકળો પર વિરામ લગાવતા આજે પોતાના જન્મદિવસ પર એલાન કર્યું કે તેમની પાર્ટી જેડીયૂ એનડીએની સાથે મળીને આગામી વિધાનસભા ચૂંટણી લડશે. તેઓએ દાવો કર્યો કે એનડીએ વિધાનસભા ચૂંટણીમાં 200થી વધારે બેઠકો જીતશે.
નીતિશ કુમારનું જન્મદિવસ પર એલાન, તેમની પાર્ટી એનડીએની સાથે મળીને આગામી વિધાનસભા ચૂંટણી લડશે
નીતિશ કુમારે કહ્યું કે આરજેડી અને કોંગ્રેસે લઘુમતીઓના વોટ માંગ્યા, પરંતુ અમે તેમના માટે કામ કર્યું
નીતિશ કુમારે કહ્યું કે આરજેડી અને કોંગ્રેસે લઘુમતીઓ પાસેથી વોટ લીધા પરંતુ અમે તેઓના માટે કામ કર્યું.
નીતિશ કુમારે જેડીયૂ કાર્યકર્તાઓની રેલીમાં કહ્યું, આપણે આગામી વિધાનસભા ચૂંટણી એનડીએની સાથે મળીને લડીશું અને 200થી વધારે બેઠકો પર જીત નોંધાવીશું. તેઓએ કાર્યકર્તાઓને આહ્વાન કર્યું કે તેઓ એનડીએને બિહાર વિધાનસભા ચૂંટણીમાં 200થી વધારે બેઠકો જીતવાનો સંકલ્પ લે. નીતિશ કુમારે કહ્યું કે જ્યાં સુધી એનપીઆરની વાત છે તો રાજ્યમાં તે વર્ષ 2010ના ફોર્મેટના આધારે થશે અને આ સંબંધમાં અમે બિહાર વિધાનસભામાં એક પ્રસ્તાવ પણ પસાર કર્યો છે.
મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાની ઉપલબ્ધીઓ ગણાવતા કહ્યું, એનડીએના શાસનમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સારી બની છે અને દેશમાં વસ્તીના હિસાબે ગુનાખોરીનો રેશિયો બિહારમાં ઓછો થયો છે. આ દરમિયાન જેડીયૂ સુપ્રીમોએ રેલીમાં વિપક્ષ પર હુમલો બોલ્યો.
આરજેડી-કોંગ્રેસે લઘુમતિઓના માત્ર વોટ માંગ્યા
નીતિશ કુમારે કહ્યું કે આરજેડી (RJD) અને કોંગ્રેસે લઘુમતીઓના વોટ માંગ્યા, પરંતુ અમે તેમના માટે કામ કર્યું. નોંધનીય છે કે નીતિશ કુમારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એનડીએમાં સામેલ બિહારની લોક જનશક્તિ પાર્ટી (લોજપા) એ વિધાનસભા ચૂંટણીથી 6 મહીના પહેલા પાર્ટીનું ઘોષણા પત્ર જારી કરવાનું એલાન કર્યું છે. જાણકારી મુજબ, 12 એપ્રિલ સુધી એલજેપીનો મેનીફેસ્ટો જારી કરવામાં આવશે.