જનતા દળ યુનાઈટેડ (JDU)એ આરોપ લગાવ્યો છે કે, RJD અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ જેલથી તેમની પાર્ટીના ઉમેદવારોને ટિકિટ આપી રહ્યા છે. જેડીયુએ આ મામલે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે કે, RJDના દરેક ઉમેદવારોના ઉમેદવારી પત્રક રદ કરવાની માંગણી કરી છે.
JDU પ્રવક્તા નીરજ કુમારે ચૂંટણી પંચને પત્રમાં લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, જેલમાં રહીને લાલુ યાદવે તેમના હસ્તાક્ષર સાથે ટિકિટની વહેંચણી કરી છે. તો તે માટે તેમણે કોર્ટમાંથી મંજૂરી લીધી હતી?
લાલુ નિયમોના ઉલ્લંઘન કરી રહ્યા છે:
- JDUએ લખ્યુ કે, ઘાસચારા કૌભાંડ મામલામાં ભારતીય દંડ સંહિતાની વિભિન્ન ધારાઓ હેઠળ તેઓ જેલમાં બંધ છે, તેઓ એક ક્રિમિલ કેસનાં દોષી છે ન તો કોઇ જન આંદોલનના નેતા છે. હાલમાં સ્વાસ્થ્યના કારણોસર તેમની રિમ્સ, રાંચીના પેઇંગ વોર્ડમાં સારવાર કરવામાં આવી રહી છે.
- જેલ મેન્યુઅલમાં સ્પષ્ટ છે કે માત્ર પરિવારજનો મળવુ જોઇએ અને તે પણ અઠવાડિયામાં એક દિવસ જ, જેના પહેલા પરવાનગી લેવા પડતી હતી. નીરજે કહ્યુ કે, લાલૂએ પોતાના હસ્તાક્ષરથી ટિકિટ વહેંચી છે. જો કોર્ટથી અદાલતમાંથી પરવાનગી ના લેવામાં આવી તો લાલૂ દ્વારા વહેંચવામાં આવેલી ટિકિટ પર ચૂંટણી લડી રહેલી ઉમેદવારોના નામાંકનને અવૈધિત જાહેર કરવામાં આવી શકે છે.
જેલથી ચૂંટણીને પ્રભાવિત કરવાનો આરોપ:
જેલ મેન્યુઅલના હિસાબ પ્રમાણે લાલુએ મુલાકાત દરમિયાન રાજકીય વાતો કરવાની નહતી. પરંતુ તેમણે તો રાજકીય ઉદ્દેશથી રાજકીય વ્યક્તિઓ સાથે મુલાકાત પણ કરી હતી. એટલું જ નહીં, લાલુ સોશિયલ મીડિયા પર પણ સતત તેમના વિચારો રજૂ કરે છે. તેના કારણે ચૂંટણી પ્રભાવિત થઈ રહી છે. જો લાલુની ટ્વિટર હેન્ડલ અન્ય કોઈ વ્યક્તિ ચલાવી રહ્યું છે તો પણ લાલુએ જણાવવું જોઈએ તેઓ જેલથી તેમના વિચારો કોની સાથે શેર કરી રહ્યા છે.