સુરત પોલીસના JCP હરીકૃષ્ણ પટેલ પાટીદાર આંદોલનકારીઓ પર વરસ્યા છે. તેમણે ભાવનગરના તળાજામાં કાર્યક્રમ નિવેદન કર્યુ હતું કે પોલીસનો સંયમ તુટશે તો અનર્થ થશે. ગુનો કર્યો હોય તેને છોડાવા પોલીસ સ્ટેશન ન આવતા.
નામ લીધા વગર હાર્દિક અને અલ્પેશને પેઈડ એજન્ટ ગણાવ્યા હતાં. કેટલાક લોકો પોલીસ વિરુદ્વ ઉશ્કેરી રહ્યાં છે. કેટલાક લોકો આંદોલનનો પછેડો ઓઢી પોલીસને બદનામ કરે છે.
હરીકૃષ્ણ પટેલે પોલીસની કામગીરીના વખાણ કર્યા હતાં. પોલીસે પોતાની મર્યાદામાં રહીને કામ કર્યું છે. પોલીસે કોઇના પર બળપ્રયોગ કર્યો નથી. ટોળે વળતા લોકોને પોલીસે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.