સુરતના ખજોદ વિસ્તારમાં જેસીબીનું ટાયર ફાટતા થયેલ દુર્ઘટનામાં સફાઇ કામદાર યુવાનને કાળ ભેટી જતાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા
પાલિકાની કામગીરી સામે મૃતકના પરિવારજનોના ધગધગત આક્ષેપો
અન્ય વિભાગના કામો પણ કરાવતા હોવાની રાવ
મૃતક યુવાન તાજેતરમાં જ લગ્નના તાંતણે બંધાયો હતો
સુરતના ખજોદ ખાતેની ડિસપોઝલ સાઈટ પર જેસીબીનું ટાયર ફાટતા દુર્ઘટના સર્જાઇ હતી. આ ઘટનામાં પાલિકાના સફાઈ કર્મીનું કમકમાટીભર્યું મોત નિપજતાં પરિવારમાં કાળો કાલ્પાત ફેલાયો છે.કરુણતા એ છે કે મૃતક યુવાન 3 મહિના અગાઉ જ લગ્નના તાંતણે બંધાયો હતો. જેની અંણધારી વિદાયથી અરેઆર્ટી મચી જવા પામી છે.મૃતકના પરિવારજનોએ પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવી પાલિકાની લાપરવાહીથી મોત નીપજ્યું હોવાના આક્ષેપો કર્યા છે.
પરિવાર શોકના સાગરમાં ડૂબ્યો
સુરત પાલિકામાં 2017ની સાલમાં સફાઈ કર્મચારી શૈલેષ સોનવાડિયાની નિમણૂક કરવામાં આવી હતી. તેઓને સુરતના ખજોદ ડિસપોઝલ સાઈટ પર ફરજ સોંપવામાં આવી હતી. તે વેળાએ સાઈટ પર જેસીબીનું ટાયર ફાટતા સર્જાયેલ દુર્ઘટનામાં શૈલેષ સોનવાડિયા મોત નીપજ્યું હતું. જે અંગે જાણ થતા સ્થાનિક પોલીસ અને સગા-સબંધીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.સફાઇ કર્મી યુવાનના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાં આવતા પરિવાર શોકના સાગરમાં ડૂબ્યો છે.
મૃતક યુવાનના ત્રણ માસ અગાઉ થયા હતા લગ્ન
યુવાનના મોતને પગલે પરિવારજનોએ પાલિકાની કામગીરી સામે ધગધગતા આક્ષેપો કર્યા હતા. મૃતક શૈલેષની બહેને લગાવેલ આરોપ મુજબ શૈલેષ સોનવાડિયાની નિમણૂક પાલિકામાં સફાઈ કામદાર તરીકે થઇ હતી છતાં પણ જવાબદારો મનામાની ચલાવી અન્ય વિભાગના કામો પણ કરાવતા હતા. આથી શૈલેષના મોત પાછળ પાલિકાની બેદરકારી જવાબદાર છે. જેથી જવાબદારો સામે આકરામાં આકરી કાર્યવાહી કરી ન્યાય અપાવવા માંગ ઊઠવાઈ છે. આ ઘટનાની કરુણતાએ છે કે સફાઈ કર્મચારી તરીકે ફરજ બાજવતા શૈલેષ સોનવાડિયાના આશરે ત્રણ માસ અગાઉ જ લગ્ન થયા હતા. તાજેતરમાં જ લગ્નજીવનની શરૂઆત કરનાર યુવાન અકાળે મોતને ભેટતા અરેરાટી મચી જવા પામી છે.