મોરબી દુર્ઘટનાને લઈને ઓરેવા ગ્રુપના માલિક અને આરોપી જયસુખ પટેલે મોરબી કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. જયસુખ પટેલને કોર્ટ બહાર લાવતા હોબાળો મચ્યો હતો અને મૃતકના પરિજનોએ હોબાળો મચાવ્યો હતો. જયસુખ પટેલને મોરબીની સબજેલમાં મોકલવામાં આવ્યો છે. પરિવારજનોને ગુમવનારા લોકોએ જયસુખ પટેલ વિરુદ્ધ નારા લગાવ્યા છે.
#WATCH मोरबी ब्रिज हादसे में ओरेवा ग्रुप के जयसुख पटेल को न्यायिक हिरासत में भेजा गया। इससे पहले उसने मोरबी में मुख्य न्यायिक दंडाधिकारी की अदालत में आत्मसमर्पण किया था। pic.twitter.com/bWp28Cez6M
મૃતકના પરિજનોએ મચાવ્યો હોબાળો
મોરબી બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના જયસુખ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. તેણે મોરબીમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. જયસુખ પટેલને પોલીસ કોર્ટ બહાર લઈ જતા હોબાળો મચ્યો હતો અને મૃતકના પરિવારજનો દ્વારા હોબાળો મચાવી જયસુખ પટેલ સામે વિરોધ ઠાલવ્યો હતો. પરિવારજનોને ગુમવનારા લોકોએ જયસુખ પટેલ વિરુદ્ધ હાય હાય અને મુર્દાબાદના નારા લગાવ્યા હતા.
સરકારી વકીલનું નિવેદન
સરકારી વકીલ એસ.કે વોરાનું મહત્વનું નિવેદન સામે આવ્યું હતુ. તેમણે જણાવ્યું છે હતું કે, જયસુખ પટેલે કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. તેની પોલીસ રિમાન્ડની અરજી કરવામાં આવશે. જયસુખ પટેલને કોને કોને આશરો આપ્યો છે તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. જયસુખ પટેલની રિમાન્ડમાં અનેક ખુલાસા થઈ શકે છે. હાલ 304 મુજબ ગુન્હો દાખલ થયો છે, જેમાં આજીવન કેદની પણ જોગવાઈ છે.
મોરબી બ્રિજ મુદ્દે HCમાં થઈ હતી સુનાવણી
મોરબીમાં 30 ઓક્ટોબરના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઝુલતો પુલ ધરાશાયી થતાં 135 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. ત્યારે ગત 25મી જાન્યુઆરીએ મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં બ્રિજની સ્થિતિ મુદ્દે રાજ્ય સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. આ દરમિયાન કોર્ટમાં જયસુખ પટેલના વકીલ દ્વારા વળતર આપવા પણ તૈયારી દર્શાવાઈ હતી. ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે, જે મેજર બ્રિજનું કામ જરૂરી છે તે સરકાર યુદ્ધના ધોરણે કરાવે.
ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ મોરબી દુર્ઘટના મામલે પોલીસે અજંતા-ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યો હતો. આ ઉપરાંત પોલીસે જયસુખ પટેલ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર પણ બહાર પાડ્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ મહિનાથી જયસુખ પટેલ ધરપકડ ટાળી રહ્યો હતો અને તેની પૂછપરછ માટે મોકલવામાં આવેલા તમામ સમન્સની અવગણના કરી હતી. ચાર્જશીટમાં ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ આરોપી ગણાવવામાં આવશે.
વકીલે કરી હતી આગોતરા જામીન અરજી મોરબી દુર્ઘટના બાદ જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને અચાનક તેના વકીલે 24મી જાન્યુઆરીએ મોરબીની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, મોરબીની કોર્ટે જયસુખ પટેલની આગોતરા જામીન અરજી પર સુનાવણી 1 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી હતી. કારણ કે ફરિયાદી પક્ષે જવાબ દાખલ કરવા માટે સમય માગ્યો હતો. આ ઉપરાંત લગભગ 10 પીડિતોના પરિવારો શનિવારે તેમના એડવોકેટ દિલીપ અગેચાનિયા મારફતે મોરબી કોર્ટમાં હાજર થયા હતા અને જયસુખ પટેલના આગોતરા જામીનનો વિરોધ કરવા માટે પક્ષકાર બનવા માટે અરજી કરી હતી.
શું છે મામલો?
30 ઓક્ટોબર 2022ના રોજ ઝૂલતો પુલ તૂટવાની બની હતી ઘટના
ઘટનામાં 135 લોકોએ ગુમાવ્યો હતો જીત
દુર્ઘટના કેસમાં અત્યાર સુધી 9 આરોપીની કરવામાં આવી ધરપકડ
ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ સામે ઈશ્યૂ થઇ ચૂક્યું છે વોરન્ટ