રાજ્યની પેટાચૂંટણીને લઇને કોંગ્રેસનો આંતરિક વિગ્રહ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. જેમાં કોંગ્રેસના પ્રવક્તા એવા જયરાજસિંહ પરમારે Vtv News પર મોટું નિવેદન આપતાં કહ્યું છે કે કોંગ્રેસમાં ચાપલુસીઓની જમાવટ છે. હું જાતિવાદી રાજનીતિથી નારાજ છું.
Vtv News સાથેની વાતચીતમાં જયરાજસિંહે જણાવ્યું કે....
જયરાજસિંહ પરમારે Vtv News સાથે વાતચીતમાં જણાવ્યું કે ખેરાલુમાં ટીકીટ ન મળવાથી નારાજ નથી પરંતુ જાતિવાદીની રાજનીતિથી નારાજ છું. કોંગ્રેસમાં ચાપલુસોની જમાવટ હોવાનું જયરાજસિંહે જણાવ્યું. હું શહીદ થવા તૈયાર છું, હું દબાયેલો અવાજ બહાર કાઢીશ. પક્ષમાં યોગદાન નથી તેવા સાહેબો બની ગયા છે. ચોક્કસ લોકો મને ટાર્ગેટ કરી રહ્યાં છે. હું નારાજ છું પણ કોંગ્રેસ છોડવાનો નથી.
જયરાજસિંહ પરમારે કોંગ્રેસ સામે નારાજગી વ્યકત કરી હતી
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, ત્યારે કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીને લઈને નારાજગીના સૂર જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમાર નારાજ છે. જયરાજસિંહ પરમારે ખેરાલુથી ટિકિટ માગી હતી. પરંતુ કોંગ્રેસે ખેરાલુ બેઠક પરથી બાબુજી ઠાકોરને ટિકિટ આપી છે. આથી સતત થઈ રહેલી અવગણનાથી જયરાજસિંહે નારાજગી વ્યક્ત કરી છે. નારાજગી વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, રાજકારણમાં આરામ લેવાનો સમય આવી ગયો છે.