જયેશ રાદાડિયાએ રાજકોટના જામકંડોરણામાં લેઉવા પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં નિવેદન આપ્યું હતુ કે, જેતપુર-પોરબંદર મારા બાપનું ખેતર છે. કહીને ગર્ભિત નિવેદન આપ્યુ હતુ જેને પગલે રાજકારણ ગરમાયું હતુ ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ આ મામલે સામ સામે આવી ગયા હતા પરંતુ આખરે જયેશ રાદડિયાએ આ મામલે ખુલાસો કર્યો હતો.
જયેશ રાદડિયાનો જામ કંડોરણાના નિવેદન મુદ્દે ખુલાસો
મારો ઇશારો કોંગ્રેસ પર હતો - જયેશ રાદડિયા
કોંગ્રેસને મારા મત વિસ્તારમાં ઘૂસવા નહીં દઉં - રાદડિયા
ગુજરાતના રાજકારણમાં તાજેતરમાં ભાજપના ધારાસભ્યો, નાયબ મુખ્યમંત્રી સહિતના એક પછી એકના નિવેદનો ચર્ચામાં છે ત્યાં ત્રણ દિવસ પૂર્વે રવિવારે રાજકોટના જામકંડોરણામાં લેઉવા પાટીદાર સમાજના છઠ્ઠા સમૂહલગ્નોત્સવ અવસરે જાણીતા કિસાન અને સહકારી નેતા સદગત વિઠ્ઠલભાઇ રાદડીયાના પુત્ર અને રાજયના કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાએ કરેલા સંબોધનમાં કહીં પે નિગાહે, કહીં પે નિશાના જેવો તાલ સર્જતા માત્ર રાજકોટ નહી પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કેબીનેટ મંત્રીના તેજાબી હૂંકારથી રાજકારણ પણ ગરમાયું છે.
શું કર્યો ખુલાસો?
જયેશ રાદડિયાનો જામ કંડોરણાના નિવેદન મુદ્દે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું હતુ કે, મારો ઇશારો કોંગ્રેસ પર હતો. કોંગ્રેસને મારા મત વિસ્તારમાં ઘૂસવા નહીં દઉં. ભાજપે મને ઘણું બધું આપ્યું છે. તાલુકા અને જિલ્લામાં પણ મારો ઇશારો કોગ્રેસ સામે જ છે. જામ કંડોરણામાં જયેશ રાદડિયાએ ગર્ભિત નિવેદન આપ્યું હતું . જેતપુર- પોરબંદર મારા બાપનું ખેતર એવું નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ ભાજપ પાર્ટીમાં રાદડિયાની આલોચના થઇ હતી.
શું છે કોંગ્રેસનું નિવેદન
કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોષીના મત મુજબ જયેશ રાદડિયા નું નિવેદન અત્યારે ભાજપ માં ચાલતી કુસ્તી અને ટાટીયા ખેચ ની સ્પર્ધાનું પરિણામ હોવાનું છે. સાથે જ જયેશ રાદડિયા નું પોતાના પિતાના વારસા ને નામે આગળ વધવાની વાતને લઈ કરેલા બેફામ નિવેદન ને કોંગ્રેસ અહંકારની ભાષા ગણાવી રહી છે.
આઈ કે જાડેજાએ કરી સ્પષ્ટતા
મંત્રી જયેશ રાદડીયાના નિવેદનનો મામલે ભાજપ પ્રવક્તા આઈ કે જાડેજાએ સ્પષ્ટતા કરી હતી કે, ભાજપની પ્રણાલી મુજબ પાર્ટી નક્કી કરે એ જ થાય છે. જયેશ રાદડીયા રાજય સરકારના મંત્રી છે અને ઘણીવાર જાહેરજીવનમાં આવી વાતો થઈ જતી હોય છે.
શું આપ્યું હતુ જયેશ રાદડિયાએ નિવેદન
મંત્રી જયેશ રાદડિયાએ જામકંડોરણામાં જે નિવેદન આપ્યું હતું તેની પાછળ સહકારી ક્ષેત્રની હરિફાઈ કારણભૂત હોઈ શકે છે. વિઠ્ઠલ રાદડિયાના સહકારી સામ્રાજ્ય પર વિરોધીઓની નજર છે.. અને રાદડિયા વિરુદ્ધ ગોંડલ અને જેતપુર જૂથ સક્રીય બન્યું છે.. જેથી મંત્રી જયેશ રાદડિયાએ ગોંડલ અને જેતપુર જૂથને ગર્ભીત ચીમકી આપી છે. જેના કારણે રાજકોટના સહકારી ક્ષેત્રમાં ગણગણાટ થઈ ગયો છે. રાજકોટ જિલ્લા બેંકમાં કબજો જમાવવા માટે વિરોધી ગૃપ સક્રિય થઈ ગયું છે. જેના કારણે જામકંડોરણામાં જયેશ રાદડિયાએ કહ્યું કે આ વિસ્તારમાં મારા પિતાનું ખેતર છે. અને ખેતરમાં મારો અને મારા પરિવારનો જ કબજો છે.