બોટાદ લઠ્ઠાકાંડમાં અમદાવાદની આ કંપનીનું નામ આવ્યુ સામે, આરોપી ચોરી કરીને મિથેનોલ બુટલેગરને પહોંચાડતો હોવાનો ખુલાસો
બોટાદ લઠ્ઠાકાંડમાં અમદાવાદ કનેક્શન
કંપનીમાંથી ચોરી કરાચું હતું કેમિકલ
જયેશ નામના આરોપીની ધરપકડ
બોટાદમાં લઠ્ઠાકાંડ મામલે મોતનો આંકડો વધી રહ્યો છે. જ્યારે હજુ પણ ઘણા લોકો સારવાર હેઠળ છે. ત્યારે હવે આ મામલે અમદાવાદનું કનેક્શન સામે આવ્યું છે. લઠ્ઠાકાંડમાં વપરાયેલ કેમિકલ ચોરીનું કરનાર ઝડપાયો છે. અમદાવાનો શખ્સ કેમિકલની ચોરી કરીને બુટલેગરને આપતો હતો. અમદાવાદની કંપનીમાંથી ચોરી કરીને કેમિકલ આપનાર આરોપી જયેશની ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી AMOS કંપનીમાં કામ કરતો હતો. જે પીપળજના દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી છે.
'AMOS કંપની ખાતે કોઇ હાજર નહી'
તો સમગ્ર ઘટનાને લઇને વીટીવી ન્યૂઝની ટીમ પીપળજ પહોંચી હતી. પીપળજની AMOS કંપની ખાતે પહોંચી પરંતુ ત્યા એક પણ વ્યક્તિ હાજર જોવા મળ્યુ નથી. આ એજ કંપની છે જ્યાંથી જયશે બુટલેગરોને મિથેનોલ પહોંચાડતો હતો. હાલમાં ક્રાઇમ બ્રાંચે જયેશની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
લઠ્ઠાકાંડે આકરુ ગામના 2 સગા ભાઈનો ભોગ લીધો
બોટાદ પંથકમાં કથિત લઠ્ઠાકાંડને લઈ હડકંપ મચી ગયો છે. આ તરફ આજે વધુ વધુ 9 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. જોકે આજે થયેલા મોતમાં આકરું ગામના બે સગા ભાઈના મોત થયાનું ખૂલ્યું છે. વિગતો મુજબ આકરુ ગામના 2 સગા ભાઈ ભાવેશ ચાવડા અને કિશન ચાવડાનું લઠ્ઠાકાંડમાં મોત થયું છે. બે ભાઈના મૃત્યુથી આકરુ ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.
કથિત લઠ્ઠાકાંડ મામલે બોટાદ SP કરણરાજસિંહ વાઘેલાએ નિવેદન આપતા જણાવ્યું કે, 'કથિત લઠ્ઠાકાંડમાં વપરાયેલ કેમિકલ ચોરીનું હોવાનો ખુલાસો થયો છે. દારુમાં વપરાયેલ કેમિકલ ચોરી કરાયું હતું. લાંભા અટકાયત કરવામાં આવેલ શખ્સ આ કેમિકલ ચોરી કરીને લાવ્યો હતો. હાલમાં આ મામલે રાણપુર અને બરવાળા ગામે તપાસ ચાલી રહી છે. દેશી દારુને લઇ સ્થાનિક PIને તપાસ માટેના આદેશ પણ અપાયા છે.
બોટાદમાં કથિત લઠ્ઠાકાંડની તપાસ માટે SITની રચના કરાઇ
વધુમાં બોટાદમાં કથિત લઠ્ઠાકાંડની તપાસ માટે SITની પણ રચના કરાઇ છે. ત્યારે DySPની અધ્યક્ષતામાં SIT આ સમગ્ર મામલે તપાસ કરશે. કથિત લઠ્ઠાકાંડમાં મહિલા સહિત 5 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. હાલમાં પોલીસની ટીમ દ્વારા પણ જુદા-જુદા ગામમાં તપાસ હાથ ધરાઇ રહી છે. પરંતુ ઝેરી દારૂની સૌથી વધુ અસર રોજિદ ગામમાં જોવા મળી રહી છે.
બોટાદમાં કથિત લઠ્ઠાકાંડ બાદ વહીવટી તંત્ર દોડતું થયું
બોટાદના રોજિદ ગામે ગત રોજ કથિત લઠ્ઠાકાંડ બાદ જિલ્લા વહીવટી તંત્ર દોડતું થયું છે. બોટાદ કલેકટરે ગત મોડી રાત્રે બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી.અને આ સાથે કલેક્ટરે મોડી રાત્રે અધિકારીઓ સાથે બેઠક યોજીને સમીક્ષા કરી હતી.આ સાથે ઝેરી દારૂથી અસરગ્રસ્ત દર્દીઓની સારવાર અંગે મેળવી માહિતી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે,લઠ્ઠાકાંડને લઈને સોમવાર મોડી રાત સુધી સીએચસી અને સરકારી દવાખાનાઓમાં અસરગ્રસ્તોનો ધસારો આવી રહ્યો હતો.