યુપીની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. જ્યાં પ્રથમ તબક્કાનું મતદાન પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં થવાનું છે. આ વિસ્તાર જાટ બહુમતવાળો છે.
ઉત્તર પ્રદેશમાં સામાજિક સમીકરણોને જોતા ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે પશ્ચિમી ઉત્તર પ્રદેશના 200થી વધારે મુખ્ય જાટ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન શાહે જાટ નેતાઓને ભગવા પાર્ટીનું સમર્થન કરવા અપીલ કરતા કહ્યું કે, બંને મળીને એક દુશ્મન સાથે લડ્યા હતા. જાટ સમુદાયનું પ્રતિક પાઘડી પહેરતા શાહે જાટ સમુદાયને પાર્ટીના સાથેના જૂના સંબંધોને સ્પષ્ટ કરતા કહ્યું કે, મને હંમેશા પૂછવામાં આવે છે કે, અમે તો ફક્ત 50 વર્ષ જૂની પાર્ટી છીએ, તો પછી આપણે સાથે મળીને 650 વર્ષોથી કેવી રીતે લડી રહ્યા છીએ. હું કહું છે કે, આપ મુગલો સાથે લડ્યા, અમે પણ તેની સાથે લડ્યા. આ આપણો સંબંધ છે.
અમિત શાહે જયંત ચૌધરી પર નરમ વલણ અપનાવ્યું
શાહે જાટ સમુદાયની નારાજગી દૂર કરવાની કોશિશ તો કરી, સાથે જ રાલોદ નેતા જયંત ચૌધરી પ્રત્યે નરમ વલણ અપનાવતા કહ્યું કે, અમે પણ તેમને ચાહીએ છીએ, પણ તેમને ખોટું ઘર પસંદ કરી લીધું છે. હવે પછી તેમની સાથે વાત કરી લેજો.
પશ્ચિમ ઉત્તર પ્રદેશની મહત્વની જાટ વોટ બેંકને પોતાના પક્ષમાં કરવા માટે ભાજપ ખાસ પ્લાન બનાવી રહ્યું છે. ભાજપને છેલ્લી ત્રણ ચૂંટણીમાં સત્તામાં લાવવામાં જાટ સમુદાયનો સિંહફાળો રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં 10 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી પહેલા એક રણનીતિ બનાવવા માટે હાલમાં જ કેન્દ્રીયમંત્રી અમિત શાહે ભાજપના પૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના દિકરા પરવેશ વર્મા સાથે તેમના ઘરે મુલાકાત કરી હતી. પશ્ચિમ દિલ્હીથી ભાજપ સાંસદ વર્માએ તેને એક બેઠક ગણાવી હતી. જ્યાં જાટ સમુદાયના નેતાઓ પોતાના મુદ્દા લઈને આવ્યા હતાં. આ મીટિંગમાં લગભગ 200 જેટલા જાટ નેતાઓ સામેલ થયાં હતાં.
અમિત શાહના નિવેદન પર જયંત ચૌધરીનું રિએક્શન
અમિત શાહના નિવેદન બાદ જયંત ચૌધરીનું પણ રિએક્શન સામે આવ્યું છે, તેમણે કહ્યું છે કે તેમની નજર મારા તરફ નથી. તેમને ડર સતાવી રહ્યો છે કે, જનતા મારી સાથે જોડાઈ રહી છે. દરેક ચૂંટણી પહેલા ભાજપ આવી રીતે બેઠક કરે છે, પણ તેનાથી મળે છે શું ? હું ચાર આના નથી, જે ફરી જાવ. આ કંઈ મામૂલી વાત નથી, અમે મામૂલી લોકો પણ નથી. અમે ઈમાનદારી સાથે લડાઈ લડી છે. જ્યાં સુધી તેને મુકામ સુધી પહોંચાડીએ નહીં, ત્યાં સુધી અમે રસ્તો બદલીશું નહીં. કાલે જે મીટિંગ થઈ અને તેમાં જે લોકો ગયા તે ખેડૂતોના શુભચિંતકો નથી.
આમંત્રણ મને નહીં એ 700 ખેડૂત પરિવારને આપો, જેમના ઘર તમે ઉજાડી દીધા
સૂત્રોએ કહ્યું કે, રાષ્ટ્રીય લોક દળના જયંત ચૌધરીને પણ સહમતીની સંભાવના પર વિચારક મોકલવામાં આવ્યા હતાં. જ્યંતે ત્યાર બાદ ટ્વિટ કર્યું હતું કે, આમંત્રણ મને નહીં પણ એ 700+ ખેડૂત પરિવારો આપો, જેના ઘર તને ઉજાડી દીધા છે. તેમનો ઈશારો ખેડૂત આંદોલનમાં માર્યા ગયેલા 700થી વધારે ખેડૂતો તરફ હતો.
વિવાદાસ્પદ કૃષિ કાયદાને લઈને છેલ્લા એક વર્ષમાં જાટ ભાજપ વિરુદ્ધ થઈ ગયા હતા. આ પહેલાથી વધારે રાલોદ નેતા ચૌધરીનું સમર્થન કરી રહ્યા છે. જેમણે રાજ્યમાં ભાજપની મુખ્ય હરીફ પાર્ટી સપા સાથે ગઠબંધન કર્યું છે.
પરવેશ વર્માએ કહ્યું કે, જયંત ચૌધરીએ ખોટો રસ્તો અપનાવ્યો છે. જાટ સમુદાયના લોકો તેમની સાથે વાત કરશે અને તેમના માટે અમારા દરવાજા હંમેશા ખુલ્લા છે. તેમણે ગઠબંધન પર ફરી વાર વિચાર કરવો જોઈએ.