ધમણ-1 વેન્ટિલેટરને લઈને કેટલાક પ્રશ્નો ઉઠ્યા હતા ત્યારે આજે રાજ્ય સરકારે આ મામલે સ્પષ્ટતા કરી હતી જે મામલે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે પત્રકાર પરિષદ યોજીને ધમણના મામલે ચોખવટ કરી હતી. ધમણ મામલે છેલ્લા કેટલાક દિવસોથી સવાલ ઉઠી રહ્યા હતા.
સ્વદેશી વેંટિલેટર ધમણ 1ને લઈને સરકારની સ્પષ્ટતા
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સ્પષ્ટતા કરી છે
કોંગ્રેસે ધમણ વેંટિલેટર પર લગાવ્યા હતા આરોપ
આરોગ્ય અગ્રસચિવ જંયતિ રવિએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, ધમણ 1 એ ગુજરાતને મદદરૂપ થવા માટે આ વેન્ટિલેટર 18 એપ્રિલ 2020 પ્રથમ દસ વેન્ટિલેટર ગુજરાતને સપ્લાય કર્યા હતા. આખા વિશ્વમાં વેન્ટિલેટરની અછત હતી. આપણા રાજ્ય માટે 866 વેન્ટિલેટર મફત આપવામાં આવ્યા છે. જ્યોતિ CNCએ સરકારને 866 વેન્ટિલેન્ટર વિનામૂલ્યે આપ્યા છે
શું છે પેરામિટર
જયંતિ રવિએ જણાવ્યું હતુ કે, વેન્ટિલેટર હોય તેને ઉપયોગમાં લેવા માટે DCGI લાયસન્યની આવશ્યકતા નથી. ડો. વીજી સોમાણીએ કહ્યુ છે કે, 2017ના કાયદા મુજબ રાજ્ય કે કેન્દ્ર સરકારના લાયસન્સની આવશ્યકતા નથી. 37 વસ્તુઓની યાદી જાહેર કરી હતી જેમાં વેન્ટિલેટરનો સમાવેશ નથી. એટલે ધમણને કોઈ લાયસન્સની જરૂર જ નથી. જો કે સ્વેચ્છાએ કોઈ રજિસ્ટર કરવા માંગે તો તે રજિસ્ટર કરી શકે છે. જે 2021 સુધી તે નોંધાવી શકે છે. ISO અને IEC મુજબ 60601 મુજબ આ વેન્ટિલેટર બનાવવામાં આવ્યું છે.
સેફ્ટિ અને પરર્ફોમન્સ
ધમણના સેફ્ટિ અને પરફોર્મન્સ મામલે અગ્રસચિવે જણાવ્યું હતુ કે, EQDC નામની ભારત સરકારની સંસ્થા દ્વારા ધમણ-1ને વેન્ટિલેટર તરીકે તેમણે પુરા ટેસ્ટ કર્યાનું પરિપત્ર મળ્યો છે. આર્ટિફિશિયલ લંગ્સ ઉપર સેફ્ટિ અને પરફોમન્સ ટેસ્ટ આપ્યા બાદ આ ધમણને પાસ કરવામાં આવ્યા છે.
ધમણ-1 દવા કે ઔષધિ નથી એટલે ટ્રાયલની જરૂર નથી
અગ્રસચિવે વધુમાં જણાવ્યું હતુ કે, ધમણ-1ના પર્ફોર્મન્સ ટ્રાયલની વાત વારંવાર કરવામાં આવે છે, હકીકતમાં આવી કોઈ ટ્રાયલ હોતી જ નથી. દવાઓ, રસી કે ઔષધિઓ માટે ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવે છે અને મેડિકલ સાધનોના પર્ફોર્મન્સ ટેસ્ટ કરવામાં આવે છે. ધમણ-૧ દવા કે ઔષધિ નથી, વેન્ટિલેટર છે જેના ક્લિનિકલ ટ્રાયલની આવશ્યકતા નથી. જેમ નિડલ-સીરીન્જ, સ્ટેથોસ્કોપ વગેરેના ક્લિનિકલ ટ્રાયલની આવશ્યકતા નથી.
ધમણ-1 પર ક્લિનિકલ લાઈવ ડેમોસ્ટ્રેશન થયું હતું
સરકાર માહિતી આપતા જણાવ્યું હતું કે ધમણ-1 વૅન્ટિલેટરનું એપ્રિલ મહિનામાં 9 તારીખે ક્લિનિકલ લાઈવ ડેમો કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત તબીબોએ કેટલાંક સૂચનો કર્યા હતાં. અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજના એનેસ્થેસીયા વિભાગના વડા અને પ્રાધ્યાપક ડૉ. શૈલેષ કે. શાહ અને મેડિસિન વિભાગના વડા પ્રાધ્યાપક ડૉ. કમલેશ ઉપાધ્યાય તથા સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકે જ્યોતિ સી.એન.સી. ને કેટલાક સુચનો કર્યા હતા. જ્યોતિ સી. એન. સી. એ નિષ્ણાંતો દ્વારા સૂચવાયેલા ફેરફારો પણ કર્યા હતા. આ ફેરફારો પછી ડૉ. કમલેશ ઉપાધ્યાય, ડૉ. શૈલેષ કે. શાહ અને સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક જેવા નિષ્ણાતોના અભિપ્રાય “આ ધમણ-૧ વેન્ટિલેટર હાલના કોવિડ-૧૯ પેન્ડેવમિક દરમ્યાન ઉપયોગી થઈ શકે તેમ છે” પછી જ ધમણ-1 વેન્ટિલેટર દર્દીઓની સારવાર માટે હૉસ્પિટલોમાં આપવામાં આવ્યા છે.
દેશ ભરમાંથી મળી રહ્યા ઓર્ડર
મહારાષ્ટ્ર, પોન્ડીચેરી અને કેટલાક દેશો ધમણ-1 નો ઉપયોગ કરી રહ્યા છે. 5000 ધમણ-1 ખરીદવાના ઓર્ડર મળેલા છે. 5000 ધમણ-1 ખરીદવાના ઓર્ડર મળેલા છે. ધમણ-1 પર આક્ષેપો કરવા ઉચિત નથી. 180 વેન્ટિલેટર પર દર્દીઓને રાખવામાં આવ્યા છે. 46 દર્દીઓને ધમણ-1 પર સારવાર આપવામાં આવી. બંને વેન્ટિલેટર પર એક સરખા જ પરિણામ મળ્યા છે. વેન્ટિલેટરની ઘટ સર્જાતા અન્ય હોસ્પિટલના અમદાવાદ સિવિલમાં લવાયા. જામનગર, સુરત, વડોદરા, આણંદથી અમદાવાદ લવાઈ રહ્યા છે. જ્યા કોરોના કેસ ઓછા છે. ત્યાંથી મેડિકલ ટિમો બોલાવાઈ રહી છે. આપણા રાજ્યમાં જ ધમણ-1 નું ખોટું અર્થઘટન કરાઈ રહ્યું છે.
શું હતો ધમણ-1નો વિવાદ?
સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1ની ગુણવત્તાનો ઉઠ્યો હતો પ્રશ્ન
સિવિલના સુપ્રિટેન્ડન્ટે જ ગુણવત્તાને લઈને ઉઠાવ્યા હતા સવાલ
ધમણ-1 ની ગુણવત્તાને લઈને લખ્યો હતો સરકારને પત્ર
અમદાવાદ સિવિલ સુપરિટેન્ડન્ટે સરકારને લખ્યો હતો પત્ર
વેન્ટિલેટર ધાર્યુ પરિણામ ન આપતું હોવાનો કર્યો હતો ઉલ્લેખ
ધમણ-1 વેન્ટિલેટર ફેલ સાબિત થયાનો કર્યો હતો ઉલ્લેખ
સુપરિટેન્ડન્ટે સરકાર પાસે અન્ય વેન્ટિલેટરની કરી હતી માગ