જયંતિ ભાનુશાળીની હત્યામાં સામેલ આરોપીઓની પોલીસ તપાસ કરી રહી છે ત્યારે CCTV કેમેરામાં કેદ 2 શાર્પશૂટરોની તસવીર સામે આવી છે. જેમાં શશીકાંત અને શેખ અનવરઅલી નામના બે શાર્પશૂટરો CCTV કેમેરામાં કેદ થયા હતા. બંને શાર્પશૂટરો હત્યા કરીને ટ્રેનની નીચે ઉતર્યા હતા.
મહત્વનું છે કે ભાજપના પૂર્વ ધારાસભ્ય ભાનુશાળી ભુજથી અમદાવાદ આવી રહ્યા હતા. તે દરમિયાન સયાજીનગરી એક્સપ્રેસમાં તેમની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જે મામલે જયંતિ ભાનુશાળીના ભત્રીજા સુનીલ ભાનુશાળીએ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને ગાંધીધામ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી હતી.
આ સમગ્ર ઘટનાને ગંભરતાથી લેતા રાજ્ય સરકાર દ્વારા SITની રચના કરવામાં આવી હતી. તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઘટનાનું રિકન્ટ્રક્સન કરવામાં આવ્યું હતુ. જેમાં એટેન્ડન્ટને તેમજ રેલ્વેના અન્ય સ્ટાફને પણ સાથે રાખવામાં આવ્યો હતો.
ત્યારે સમગ્ર મામલે રી-કન્સ્ટ્રકશન દરમ્યાન ખુલાસો થયો હતો. જેમાં કોચ અટેન્ડન્ટનો શખ્સો સાથે ચૈન પુલિંગ વખતે ઝઘડો થયો હોવાની માહિતી મળી હતી. જેના દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.