બહુચર્ચીત હાઈપ્રોફાઈલ જયંતિ ભાનુશાળી હત્યાકાંડમાં નવો વળાંક આવ્યો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ઉપપ્રમુખ જયંતિ ભાનુશાળીની ટ્રેનમાં હત્યા કરવામાં આવી હતી જેના આરોપી પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની ધરપકડ બાદ હવે મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉની પણ ધરપકડ કરવામાં આવી છે ત્યારે હનીટ્રેપ તરીકે ઉપયોગ થનારી મનીષાના મોંએથી કયા મોટા માથાના નામ નીકળે છે તે અંગે ફફડાટ છે.
જયંતિ ભાનુશાળી અને મનીષા હતા મિત્ર
પૈસા બાબતે બબાલથી થઈ હતી
હની ટ્રેપમાં ફસાવતા હતા મોટા માથાને
પૂર્વ ધારાસભ્ય અને આરોપી છબીલ પટેલ પકડાયો હતો એરપોર્ટથી
CID અને રેલવે પોલીસને આજે મોટી સફળતા હાંસલ થઈ છે. જયંતિ ભાનુશાળી કચ્છથી અમદાવાદ ટ્રેનમાં આવી રહ્યા હતા ત્યારે રેલવેના કોટમાં તેમને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. રેલવે પોલીસની તપાસમાં મનિષા અને જયંતિની મિત્રતાના ભેદ ઉકેલાયા હતા. પૈસાને કારણે જ બંનેમાં દુશ્મનાવટ થઈ હોવાનું હાલ મનાઈ રહ્યુ છે. મનિષાએ પૂર્વ ધારસભ્ય છબીર પટેલ સાથે મળીને મહારાષ્ટ્રથી ભાડુતી માણસો લાવીને હત્યા કરાવી હતી.
ક્યાથી ઝડપાયા આરોપીઓ
જયંતિ ભાનુશાળી હત્યાકાંડના આરોપી ઝડપાઈ ગયા છે. બંને આરોપીઓને અલહાબાદથી ઝડપી લેવામાં આવ્યા છે. માનિષા ગોસ્વામી અને સુરજીત ભાઉ ઉત્તરપ્રદેશમાં અલ્હાદબાદથી ઝડપાયા છે. બંને અલ્હાબાદના આશ્રમમાં છુપાયા હતા. બંને જણા આશ્રમમાં સાધુનો વેશ ધારણ કરી રહેતા હતા.
પૂર્વ ધારાસભ્ય અને આરોપી છબીલ પટેલ પકડાયો હતો એરપોર્ટથી
હત્યાનો માસ્ટરપ્લાન ઘડીને છબીલ પટેલ વિદેશ ઉડી ગયા હતા અને મનિષા પણ કચ્છ છોડી દીધુ હતુ. આ રીતે તેમણે પ્લાન દ્વારા પોતે નિર્દોષ હોવાનું પ્રસ્થાપિત કરવાની ખોટી કોશિશ કરી હતી પરંતુ પોલીસ તપાસમાં હત્યાના તાણાવાણા છબીલ પટેલ અને મનિષા ગોસ્વામી સુધી પહોંચી ગયા હતા અને આખરે છબીલ પટેલ વિદેશથી પરત આવતા પોલીસે તેની એરપોર્ટ ઉપરથી જ ધરપકડ કરી હતી. હાલ તે કચ્છની જેલમાં છે. પણ મનીષા ફરાર હતી. તેનો સાથીદાર સુજીત ભાઉ પણ ફરાર હતો પોલીસે હાલ તેમની ધરપકડ કરી છે.
હનીટ્રેપ તરીકે જયંતિ મનીષાનો ઉપયોગ કરતો હતો
જયંતિ ભાનુશાળીએ ઘણા નેતાઓ અને અધિકારીઓને મનીષા દ્વારા હનીટ્રેપમાં ફસાવ્યા હતા અને એના પૈસા મુદ્દે જ મનીષા અને જયંતિમાં દુશ્મની થઈ હતી ત્યારે આ હાઈપ્રોફાઈલ હત્યાકાંડમાં ઘણા મોટામાથાના નામ ખુલી શકે છે.