ભાજપના ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉના આજે 12 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે મનીષા છેલ્લા 10 મહિનાથી ફરાર હતી અને તેણે 10 મહિનામાં રૂા. 10 લાખ વાપરી નાંખ્યા છે. જયંતી ભાનુશાળીની હનીટ્રેપ સ્કીમની ભાગીદાર મનીષાના રિમાન્ડ મંજૂર થવાને પગલે ઘણા રોચક તથ્યો, મોટા માથા અને નેતાઓના નામ ખુલી શકે છે. પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની ધરપકડને પગલે હાલ ભાજપના મોટા માથામાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
હનીટ્રેપ તરીકે જયંતિ મનીષાનો ઉપયોગ કરતો હતો
કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
20 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર
જયંતી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા. આરોપીઓ મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉને પોલીસે ભચાઉ કોર્ટમાં રજૂ કર્યા હતા અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે
20 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર
બંને આરોપીઓના આગામી 20 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે રિમાન્ડ દરમિયાન અનેક નવા રહસ્યો ખુલી શકે છે. આરોપી મનીષા ગોસ્વામી જુદા જુદા સ્થળોએ વેશ બદલીને છુપાઈને ફરતી હતી અને તેણે 10 માસમાં 10 લાખ રૂપિયા પણ વાપર્યા હતા ત્યારે તેને રૂપિયા કોણ પહોંચાડતું હતું અને ક્યા મનસૂબાના આધારે કાવતરું રચીને જ્યંતી ભાનુશાળીની હત્યા કરી તે સહિતના રહસ્યો પરથી હવે ટૂંક સમયમાં પડદો ઉચકાઈ જશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
હનીટ્રેપ તરીકે જયંતિ મનીષાનો ઉપયોગ કરતો હતો
જયંતિ ભાનુશાળીએ ઘણા નેતાઓ અને અધિકારીઓને મનીષા દ્વારા હનીટ્રેપમાં ફસાવ્યા હતા અને એના પૈસા મુદ્દે જ મનીષા અને જયંતિમાં દુશ્મની થઈ હતી ત્યારે આ હાઈપ્રોફાઈલ હત્યાકાંડમાં ઘણા મોટામાથાના નામ ખુલી શકે છે.
દસ મહિના પહેલા જ્યંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં હત્યા કરાઈ હતી
કચ્છનાં પૂર્વ ધારાસભ્ય જ્યંતી ભાનુશાળીની 10 માસ પૂર્વે ચાલુ ટ્રેનમાં બંદૂકની ગોળી મારી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં છબીલ પટેલ અને જ્યંતી ઠક્કર ડુમરાવાળાની ધરપકડ કરાઈ હતી પણ મુખ્ય સૂત્રધાર મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉ છેલ્લા 10 માસથી પોલીસને થાપ આપી નાસતા ફરતા હતા. પરંતુ ગુજરાત રેલ્વે SITની ટીમે અલ્હાબાદના દરાગંજના આશ્રમમાંથી બંને આરોપીઓને ઝડપ્યા હતા. જ્યારે નિખિલ થોરાત નામનો આરોપી ફરાર છે.