જયંતી ભાનુશાળી હત્યા કેસના આરોપી મનિષા ગોસ્વામી અને સુરજીત ભાઉની થોડા સમય અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. ભાનુશાળીની હત્યા બાદ બન્ને આરોપી ફરાર હતા. તમને જણાવી દઈએ કે જયંતિ ભાનુશાળી કચ્છથી અમદાવાદ આવી રહ્યા હતા. તે સમયે ટ્રેનમાં ગોળી મારીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી. તેની રિમાન્ડ દરમિયાન કેટલાક મહત્વના ખુલાસા થયા છે.
છબીલ પટેલે 3 વખત હત્યાનું ષડયંત્ર રચ્યું હતુંઃ ડીઆઈજી
મનીષા અનેક લોકોની હની ટ્રેપ કરી હોવાની શક્યતાઃ ડીઆઈજી
જયંતી ભાનુશાળી હત્યા આરોપી મામલે રેલવે ડીઆઈજી ગૌતમ પરમારે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મનીષા ગોસ્વામી 20 દિવસના રિમાન્ડ પર છે. જયંતી અને મનીષાનો આર્થિક વિવાદ હતો. મનીષાએ કનકપુરમાં તબેલા માટે 61 લાખની લોન લીધી હતી. તબેલાના પ્લાનમાં અઢી કરોડની જરૂર હતી. જેને લઇને તેણે હનીટ્રેપ ગોઢવ્યું હતું.
વધુમાં ડીઆઈજીએ જણાવ્યું હતું કે, 2009થી મનીષા અને જયંતી ભાનુશાળી વચ્ચે પરિચય થયો હતો. જયંતી ભાનુશાળીનો મોબાઇલ હજુ ગુમ છે. મનીષાએ ધંધાકીય ભાગીદારીની માંગ કરી હતી. છબીલ પટેલે 3 વખત હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. ઘર નજીક, રાચી અને ટ્રેનમાં મદદ કરી. જયંતી ભાનુશાળીના ભત્રીજા સુનિલે સીડી બનાવી હતી. મનીષા અનેક લોકોની હનીટ્રેપ હોવાની શક્યતા છે.
મહત્વનું છે કે, જયંતિ ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપીઓ મનિષા ગોસ્વામી અને સુરજીત ભાઉને અમદાવાદ લાવવામાં આવ્યાં હતા. ઉતરપ્રદેશના પ્રયાગરાજથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. પ્રયાગરાજના આશ્રમમાંથી આ આરોપીઓ ઝડપાયા હતાં. આ આરોપીઓને પશ્ચિમ રેલવે SP ઓફિસ લાવવામાં આવ્યાં હતાં. જો કે આ હત્યામાં હજુ એક આરોપી નિખિલ થોરાત ફરાર છે.