જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. ભચાઉ કોર્ટે આ મામલે કેટલાક આરોપીઓને ભાગેડુ જાહેર કર્યા છે. મનીષા ગોસ્વામી સહિત ચાર આરોપીઓને કોર્ટે ભાગેડુ જાહેર કર્યા છે.
સુરજીત ભાઉ, નીખીલ થોરાત અને રાજુ ધોત્રેને ભચાઉ કોર્ટે ભાગેડુ જાહેર કર્યા છે. તો આરોપી છબીલ પટેલ અને જયંતિ ઠક્કર સામે ટૂંક સમયમાં જ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જયંતિ ભાનુશાળીની મુંબઈ જતી ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
મહત્વનું છે કે ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી ભુજથી અમદાવાદ આવી રહ્યા હતા. તે દરમિયાન સયાજીનગરી એક્સપ્રેસમાં તેમની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જે મામલે જયંતિ ભાનુશાળીના ભત્રીજા સુનીલ ભાનુશાળીએ ફરિયાદ નોંધાવી હતી.