જયંતિ ભાનુશાળી હત્યા મામલે આરોપી છબીલ પટેલને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળી છે. હાઈકોર્ટે છબીલ પટેલના જામીન મંજુર કર્યા છે. શરતોના આધારે જામીન મંજુર કરવામાં આવ્યાં છે. આ કેસની તપાસમાં સાથ સહકાર આપવાની શરતે જામીન મંજુર કરવામાં આવ્યાં છે.
HCએ છબીલ પટેલના જામીન કર્યા મંજુર
શરતોને આધારે જામીન કર્યા મંજુર
કેસની તાપસમાં સાથ સહકારની શરતે જામીન મંજુર
કચ્છના પૂર્વ ધારાસભ્ય જ્યંતી ભાનુશાલીની હત્યાને લઈને છબીલ પટેલ અને તેમના વેવાઇ રસિક પટેલની ધરપકડ થઈ હતી. તેમજ હત્યાના મુખ્ય સાક્ષી પવન મૌર્યની પણ ધરપકડ કરાઇ હતી. ત્યારે આ મામલે પાંચ મહિના અગાઉ છબીલ પટેલ અને સાથી આરોપીઓની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી. ગાંધીધામ સેશન્સ કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા.
બાદમાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ હાઈકોર્ટના શરણે ગયા હતા. જેમાં તેમણે રેગ્યુલર જામીન અરજી કરી હતી. ત્યારબાદ તેમની અરજી પર આજે (સોમવાર) હાઈકોર્ટમાં સુનાવણી થઇ હતી. જેમાં છબીલ પટેલને શરતોના આધારે જામીન મળ્યા છે. મહત્વનું છે કે, આ મામલે અગાઉ હાઈકોર્ટે આરોપી રાહુલ અને નીતિનના જામીન મંજૂર કર્યા હતા.
જયંતી ભાનુશાળી વિદેશ ફરાર થઇ ગયા હતા
કચ્છના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય સુત્રધાર છબીલ પટેલની એસઆઈટીએ ધરપકડ કરી હતી. છબીલ પટેલ શાર્પ શૂટરને રૂ. 30 લાખની સોપારી આપીને 2 જાન્યુઆરીના રોજ વિદેશ ફરાર થઈ ગયા હતા. હત્યાનો મુખ્ય કાવતરાખોર છબીલ પટેલ હત્યાના 66 દિવસ બાદ 14 માર્ચે સામેથી પોલીસને શરણે થયો હતો. વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર પોલીસ સમક્ષ આરોપી છબીલ પટેલે શરણાગતિ સ્વીકારી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છની અબડાસા બેઠકના ધારાસભ્ય રહેલા જયંતિ ભાનુશાળીની ટ્રેનમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાનો આરોપ છબિલ પટેલ સામે જયંતિ ભાનુશાળીના પરિવારજનોએ લગાવ્યો હતો.