મા મેલડીને ત્યાં ભક્તોની ભીડ કંઈ અમથી નથી લાગતી. અહીં માઈ ભક્તોની મોં માંગી મનોકામના પૂર્ણ થાય છે. આ અમે નથી કહેતા પણ સુરેન્દ્રનગર વઢવાણથી 7 કિલોમીટર દૂર આવેલ મંદિરે માતાના દર્શને આવતા માઈ ભક્તો કહે છે.
અમરૈયા નામના દૈત્યનો વધ કરવા પ્રગટ્યા મા મેલડી
મેં લડી એટલે માં મેલડી
નવદુર્ગાએ જનમ આપ્યો અને મહાદેવે આપ્યુ નામ
વઢવાણથી આશરે સાત કિલોમીટર દૂર ગુજરાતમાં પ્રખ્યાત મા મેલડીનું મંદિર આવેલું છે.આ મંદિરને નકટી વાવના મા મેલડી તરીકે પ્રખ્યાત છે. અહીં ભક્તો પગપાળા આવીને પોતાની માનતા પૂરી કરે છે. રવિવાર, મંગળવારે અને ગુરૂવારે અહીં ખાસ ભીડ જોવા મળે છે. માતાજી પર આસ્થા રાખરનાર ભાવિક ભક્તોની શ્રદ્ધાથી રાખેલી બાધા પૂરી થાય તો તેઓ પગપાળા માડીના દર્શને આવે છે. સુરેન્દ્ર નગર જિલ્લામાં આવેલ આ મંદિર આખા ગુજરાતમાં પ્રખ્યાત છે. ભ્વય મંદિરના પ્રાગંણમાં આવતા જ ભક્તોના મનને શાતા મળે છે.
શુ કહે છે વાયકા?
દંતકથા મુજબ નવદૂર્ગાએ પોતાના શરીર પરથી મેલ ઉતારી તેમાથી એક પુતળીની રચના કરી તેમાં પ્રાણ પૂર્યા. આ શક્તિ એટલે મા મેલડી. મા મેલડીએ પછી અમરૈયાનો વધ કર્યો અને બધા દેવોએ રાહતનો શ્વાસ લીધો.
દૈત્યોના સંહાર માટે નવદુર્ગા પ્રગટ થયા
આધ્યા શક્તિ સ્વયંમ આવા દુષ્ટ રાક્ષસોથી રક્ષા કરવા માટે નવદુર્ગાના રૂપ માં પ્રગટ થયા. દેવતાઓએ માં પાસે જઈને કહ્યું કે હે માં આ જગતમાં તમારા જેવી આધશકિત માતા વગર અમારો કોઈ ઉધ્ધાર કરી શકવાનુ નથી. જગતમાં તમારાથી કોઈ મોટુ નથી. ત્યારે બધી નવદુર્ગા દેવીઓ ભેગા મળીને દેવતાઓના કહેવા મુજબ પૃથ્વી પર જઈ ને મનુષ્યની રાક્ષસોના ત્રાસથી રક્ષા કરવા લાગયા. એક દૈત્ય ખુબજ શક્તિ શાળી હતો તેનું નામ અમરૈયા દૈત્ય હતું. તેના ત્રાસથી છુટકારો અપાવવા માટે જયારે નવદુર્ગા આ દૈત્યને મારવા માટે ગયા તયારે એ દૈત્ય ઘણો શક્તિશાળી હતો. તેણે નવદુર્ગા સાથે ઘણા વષોઁ સુધી યુધ્ધ કયુઁ. છેવટે તે રાક્ષસ થાકીને આ દેવીઓથી બચવા માટે ભાગવા લાગ્યો
નવદુર્ગા ભેગા મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારી પૂતળી બનાવી
દૈત્ય પૃથ્વીલોક પર સાયલા ગામના સરોવરમાં સંતાઈ ગયો. ત્યારે નવદુર્ગા બહેનોએ સરોવરનુ પાણી પીવા લાગ્યા ત્યારે આ દૈત્ય સરોવર પાસે એક મરી ગયેલી ગાયમાં છુપાઈને બેસી ગયો ત્યારે છેવટે નવદુર્ગાએ ભેગા મળીને આ અમરૈયા દૈત્યને મારવા માટે એક યુકિત વિચારી. ત્યારે માં એ શક્તિરૂપે દેવીને પ્રગટ કરવાનું વિચાયુઁ. તે સમયે નવદુર્ગા ભેગા મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારીને એક નાની પૂતળી બનાવીને તેમાં પ્રથમ પ્રાણ પુયાઁ અને તેમને દરેક દેવીઓએ પોતાની શક્તિ પ્રદાન કરીને તેમને શક્તિ રૂપે શસ્ત્ર વિધા આપીને આ અમરૈયા દૈત્યને મારવા માટે આદેશ આપ્યો. આમ, પૂતળીએ નવદુર્ગાના કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુધ્ધ કયુઁ.
અમરૈયા નામના દૈત્યનો વધ કરવા પ્રગટ્યા મા મેલડી
દેત્ય એક ગાય માતાના શબની અંદર છૂપાઇને બેઠો હતો ત્યારે આ પૂતળીએ પોતાની શક્તિથી તેને બહાર કાઢીને તેને મારી નાખ્યો. ત્યાર પછી તે પાછા નવદુર્ગા સામે આવ્યા ત્યારે તેમને આ પ્રભાવ જાણવા મળ્યો કે તેઓ કેટલા શક્તિશાળી છે. આમ, નવદુર્ગાઓ ભેગા મળીને પોતાના મેલમાંથી પૂતળી બનાવી અને દરેકે તેમની શક્તિ આપીને જે દેવીને પ્રાગટ્ય કર્યા છે તે પોતે યુધ્ધ કરીને રાક્ષસને મારીને આવ્યા હતા. અને પછી તેને નવદુર્ગાને પુછ્યુ કે હવે મારે કયુ કામ કરવાનુ છે ત્યારે આવા પાપી રાક્ષસને મારીને આવેલ દેવીની તેમણે અવગણના કરી અને તેમને દુર જતા રહેવા નું કહ્યું. તેથી તે માતાજીને બહુ ખોટુ લાગ્યુ. પછી તે પોતાને શુધ્ધ કરવા ભગવાન ભોલેનાથની પાસે ગયા. અને તેમણે ભોલેનાથને બધી વાત કરી. કે તે એક રાક્ષસનો સંહાર કરીને આવ્યા છે. જેથી તેમને પોતાના શરીરને શુધ્ધ કરવા માટે ભોલેનાથને કહ્યું. એટલે ભોલેનાથે સ્વયંમ્ પોતાની જટામાંથી ગંગાજીને પ્રગટ કરીને માતાજી ઊપર ગંગાજીના શુધ્ધ જળની ધારા વહેવડાવી તેને પવિત્ર કર્યા.
નવદુર્ગા જોડે લડ્યા અને તેઓ વિજયી બન્યા
પછી તે માતાજી એ ભોલેનાથને કહ્યું હવે મારૂ નામ શું રાખવાનુ છે? ત્યારે ભોલેનાથે કહયું કે તમે નવદુર્ગાને જઇને પુછી આવો ત્યારે માતાજીએ જણાવ્યુ કે નવદુર્ગાઓએ મને છોડી દીધી છે. હવે તેઓ મને અડવાની ના પાડે છે તેથી મારે શું કરવુ. ત્યારે ભગવાન ભોલેનાથે તેને આર્શીવાદ આપતા જણાવ્યુ કે તે પોતાના નામ માટે નવદુર્ગા જોડે યુધ્ધ કરો. ત્યારે ત્રણેય દેવતાઓ ભેગા મળીને બ્રહ્યા, વિષ્ણુ અને મહેશ ભગવાને તેમને પોતાના શસ્ત્ર રૂપે બ્રહ્યાજીએ પોતાની ગદા આપી અને વિષ્ણુ ભગવાને પોતાનુ ચક્ર આપ્યું. ત્યારબાદ શંકર ભગવાને પોતાનુ ત્રિશુલ આપ્યુ. આમ ત્રણેય દેવોએ આશીર્વાદ આપીને માતાજીને લડવા મોકલ્યા. પછી તે નવદુર્ગા જોડે લડ્યા અને તેઓ વિજયી બની ગયા ત્યારે તેમની શક્તિઓ સામે નવદુર્ગાઓને પણ હાર માનવી પડી.
મેં લડી એટલે માં મેલડી
વિજયી બન્યા એટલે ભગવાને શિવે કહ્યું કે તુ તારા માટે એટલે મેં લડી એટલે તું આજથી મા મેલડી નામથી ઓળખાઈશ. ભકતો તારી પૂજા કરશે. જે પોતાના નામ માટે નવદુર્ગા જોડે લડી શકે છે તે પોતાના ભક્તોને કોઇ તકલીફ પડવા દે ખરી અને જો કોઇ તકલીફ માં હોય તો માં તેની મદદ કરે છે. મેલડી માઁ બાર વર્ષની પૂતળી ના રૂપ માં અવતર્યા હતા, પરંતુ માઁ મેલડીએ વિકરાળ રાક્ષસોનો સંહાર કરવા માટે તેમને વિકરાળ સ્વરૂપે પૂજ્યા છે. દેવતાઓમાં ત્રણે દેવો શંકર, બ્રહ્યાજી, વિષ્ણુ ભગવાન તેમના પિતા ગણાય છે. સરસ્વતી માતા, લક્ષ્મીમાતા અને પાર્વતીમાતા તેની માતાઓ છે. આમ, તેઓ પોતાના માતા-પિતાના આર્શીવાદ દ્વારા આ કળીયુગમાં મહાશક્તિ આધશક્તિ મેલડી માઁ ના નામે ઠેર-ઠેર પૂજાય છે.