કેટલાક મહિનાઓથી સતત કોરોના અને લૉકડાઉનનો ભય હવે ધીમે ધીમે ભયને ઓછો થઇ રહ્યો છે. તહેવાર દરમિયાન, લોકોએ કોરોના વાયરસ અને સોશિયલ ડિસ્ટન્સિંગને નજર અંદાજ કર્યા હતા, તે જોઈને કે જય ભાનુશાળીએ કોરોના રસી પર કામ કરતી કંપનીઓને વિશેષ અપીલ કરી છે. અભિનેતાનું કહેવું છે કે લોકોનો ડર ઓછો થઇ રહ્યો છે, જો રસી જલ્દી નહીં લાવવામાં આવે તો લોકો તેને ખરીદવામાં પણ ભાવતાલ કરશે.
લોકોમાં કોરોનાનો ભય થયો ઓછો
અભિનેતા જય ભાનુશાળીએ કર્યો કટાક્ષ
વેક્સિન કંપનીઓને ઝડપથી વેક્સિન આપવાની કરી અપીલ
ઉલ્લેખનીય છે કે, છઠ્ઠ પૂજાના ત્રીજા દિવસે અનેક ઘાટ પર મોટી સઁખ્યામાં લોકો ઉમટ્યા હતા. તાજેતરમાં, એએનઆઈએ પટના કોલેજ ઘાટ પર છઠ પૂજા કરતા ભક્તોની કેટલીક તસવીરો શેર કરી હતી. આ ફોટામાં, લોકો ભીડમાં માસ્ક વગર ઊભા રહીને કોરોનાના તમામ પ્રોટોકોલોનું ઉલ્લંઘન કરી રહ્યા છે.
અભિનેતા જય ભાનુશાળીએ કર્યો કટાક્ષ
આ જોઈને અભિનેતા જય ભાનુશાળીએ કટાક્ષ કરતા લખ્યું, "જે કોઈ વેક્સિન કંપની કોવિડ 19 રસી લોન્ચ કરવાનું વિચારી રહ્યો છે તેણે જલ્દીથી આ રસી લોકોને ઉપલબ્ધ કરાવવી જોઈએ." હવે અમે કોવિડ 19 ના ડરથી બહાર નીકળી ચૂક્યા છીએ.
To all the vaccine company who are thinking of launching covid vaccine..quickly get your vaccine available4ppl. we have overcome the fear of covid 19..abhi launch karoge to izzat rahegi nahi toh kuch time ke baad bargaining shuru hojayegi dena hain toh de warna baht baithe hain https://t.co/JjtqNeNeXF
આગળ અભિનેતાએ લખ્યું હતું કે, જો તમે હમણાં લોન્ચ કરો છો, તો તમારું સન્માન કરવામાં આવશે, અન્યથા થોડા સમય પછી લોન્ચ કરશો તો ભાવતાલ થવા લાગશે, જો તમારે આપવું હોય તો તે આપી દો. અભિનેતાનું માનવું છે કે જે રીતે કોરોનાનો ભય લોકોની અંદરથી સંપૂર્ણપણે દૂર થાય છે, તે જ રીતે, લોકો માટે રસીનું મહત્વ થોડા દિવસો પછી સમાપ્ત થઈ જશે.