બાબા બર્ફાની તરીકે જાણીતા બાબા અમરનાથની યાત્રાનો શુભારંભ થઈ ચૂક્યો છે. દર્શનાર્થીઓ અને શ્રદ્દાળુઓની આવનજાવનથી આ પહાડી રસ્તાઓ ધમધમવા લાગ્યા છે. ત્યારે તીર્થયાત્રીઓને યાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી ન ઊભી થાય તે માટે ઈન્ડો તિબેટ બોર્ડ ર પોલીસના જવાનો અમરનાથ યાત્રા માર્ગ પર તહેનાત કરાયા છે. પહાડી માર્ગો પર બાલટાસ બેઝકેંપથી લઈને બાબા બર્ફાનીની પવિત્ર ગુફા સુધી આઈટીબીપીનાં પાંચ હજાર જવાનો તહેનાત છે.
હિંદુઓનાં મુખ્ય તીર્થધામ અને કરોડો નાગરિકોની આસ્થાનું કેન્દ્ર એવા પ્રખ્યાત અમરનાથની પવિત્ર યાત્રા (Amarnath Yatra) નો શુભારંભ થઈ ચૂક્યો છે. ભગવાન કોની ક્યારે મદદ કરશે તેનું કંઈ નક્કી હોતું નથી પરંતુ આ યાત્રા ક્ષેમકુશળ પૂરી થાય તે માટે ઈન્ડો તિબેટીય બોર્ડર પોલિસના જવાનો રાતદિવસ ખડે પગે છે. તેઓ યાત્રીઓની માત્ર સુરક્ષાનો જ નહીં પરંતુ તેમની દરેક આરોગ્યલક્ષી જરૂરિયાતનું પણ ધ્યાન રાખી રહ્યાં છે. અહીં તહેનાત જવાનોને જેટલા દુશ્મનોનાં હુમલા સામે સતર્ક રહેવું પડે છે તેટલું જ કુદરતી આપત્તિનો પણ પડકાર ઝીલવો પડે છે. ત્યારે જોઈએ આ અહેવાલમાં.
બાબા બર્ફાની (baba barfani) તરીકે જાણીતા બાબા અમરનાથની યાત્રાનો શુભારંભ થઈ ચૂક્યો છે. દર્શનાર્થીઓ અને શ્રદ્દાળુઓની આવનજાવનથી આ પહાડી રસ્તાઓ ધમધમવા લાગ્યા છે. ત્યારે તીર્થયાત્રીઓને યાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી ન ઊભી થાય તે માટે ઈન્ડો તિબેટ બોર્ડ ર પોલીસના જવાનો અમરનાથ યાત્રા માર્ગ પર તહેનાત કરાયા છે. પહાડી માર્ગો પર બાલટાસ બેઝકેંપથી લઈને બાબા બર્ફાનીની પવિત્ર ગુફા સુધી આઈટીબીપીનાં પાંચ હજાર જવાનો (jawans) તહેનાત છે. આઈટીબીપીનાં જવાનો ઓક્સિજનની કમીથી શ્વાસ લેવામાં તકલીફ વેઠી રહેલા યાત્રાળુઓને ઓક્સિજન પણ ઉપલબ્ધ કરાવીને તેમની મદદ કરી રહ્યાં છે. આ માટે ઓક્સિજન સિલિન્ડર અને મેડિકલ કીટ સાથે જવાનો તહેનાત છે.. આઈટીબીપીના જવાનો દુર્ગમ રસ્તા પર પહોંચવામાં મહિલાઓને પણ મદદ કરી રહ્યાં છે.
અહીં તહેનાત જવાનો પર માત્ર દુશ્મનોનાં હુમલાથી યાત્રિકોનું રક્ષણ કરવું એ જ એક માત્ર જવાબદારી નથી. અહીં પળે પળે કુદરતી આફતનો અને ભૂસ્ખલનનો ભય સતાવે છે. જેનાથી યાત્રીઓનાં જીવ બચાવવા માટે પણ આટીબીપીનાં જવાન ઢાલ બનીને ઊભા રહે છે. અહીં પ્રાકૃતિક આફતોનાં પડકારો વચ્ચે શ્રદ્ધાળુઓની સુરક્ષામાં આટીબીપીનાં જવાન રાત દિવસ ખડે પગે છે.
તેમની ઢાલ યાત્રીએને ત્યારે મદદરૂપ બની જ્યારે યાત્રા દરમિયાન પહાડીઓ પર ભૂસ્ખલન શરૂ થયું અને પથ્થરનાં મોટા મોટા મોટા ટુકડા યાત્રાનાં માર્ગ તરફ આગળ વધી રહ્યાં હતાં. આઈટીબીપીનાં જવાનોએ આ જોઈને તરત જ માર્ગથી દૂર માનવશૃંખલા બનાવી અને પથ્તરના ટુકડાને માર્ગ પર જતા રોકી લીધો. સુરક્ષામાં તહેનાત જવાનો પથ્થરોનાં મોટા મોટા ધસમતા ટુકડા સામે શિલા બનીને ઊભા રહી ગયા અને યાત્રિકોને નુકસાન થતાં બચાવ્યા.
આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને તમારા શ્વાસ પણ ઘડીભર થંભી જશે. આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો આઈટીબીપીનાં ટ્વિટર હેન્ડલ પરથી શેર કરાયો છે. જે હવે શોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આઈટીબીપીનાં જવાનોની બહાદુરીની પ્રશંસા કરીને તેમને સલામ કરી રહ્યાં છે.